Thursday 29 August 2013


મારા પ્રેમાળ......."પરમાત્મા"

શ્રી રાધાજી એ તેમના મહેલ માં પોપટ પાળેલા હતા,અને તેમને 
દરરોજ રાધાજી હરે-કૃષ્ણ હરે-કૃષ્ણ કહેતી તેનાથી દરેક પોપટ પુરો 
દિવસ હરે-કૃષ્ણ હરે-કૃષ્ણ બોલતા સાથે સાથે 
રાધાજી ની સખી પણ હરે-કૃષ્ણ બોલતી.
એક દિવસ રાધાજી યમુના કિનારે ચાલી રહ્યા હતા તેમની નજર શ્યામસુંદર અને નારદજી પર પડે છે .તે શ્રીજી ની વાત છુપી રીતે પર ધ્યાન થી સાંભળે છે.
નારદજી કહે છે કે હે પ્રભુ હુ પુરા વ્રજ માં જ્યા ફર્યો ત્યા મને 
હરે-કૃષ્ણ નો જ અવાજ સંભળાય છે
ત્યારે શ્રીજી કહે છે કે મને તો રાધા નામ પ્રિય છે.
આટલુ સાંભળતા ની સાથે જ રાધાજી ની આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા.
રાધાજી તરત જ મહેલ પહોચ્યા અને તેમના પોપટ ને રાધે રાધે કહેવા લાગી
જ્યારે આ વાત તેમની સખી ને ખબર પડી બધી સખી રાધાજી ને કહે છે કે 
રાધા તુ તારા નામ ની જ જય બોલાવે છે બધા તને અભિમાની 
ગણશે.
ત્યારે રાધાજી કહે છે કે મારા પ્રિયત્તમ શ્રીજી ને જે આજ નામ પસંદ હોય તો હુંઆજ નામ આજ થી બોલીશ.
બોલો રાધે રાધે...........
જય શ્રી રાધે.


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment