Sunday 9 March 2014

પરમાત્મા નું સ્વરૂપ...." માં "

મને પ્રેમ છે મારા હાથ ની દરેક આંગળી ઓ થી,
ખબર નહી કઇ આંગળી પકડી મારી "માં" 
એ મને ચાલતા શીખવ્યું હશે .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." મહાન કોણ? "

ચીનના સમ્રાટ ખૂબ જ જ્ઞાની હતા. તેઓ બધાનો આદર કરતા. એક દિવસ તેમના દરબારમાં ચીનના પ્રખ્યાત જ્ઞાની તત્વવેત્તા કૉન્ફ્યુશિયસ પધાર્યા. 

ચીનના સમ્રાટે તેમનું સ્વાગત કર્યું અને જ્ઞાનચર્ચા માટે થોડા દિવસ મહેલમાં રોકાવાનો આગ્રહ કર્યો.

બીજા દિવસે જ્ઞાનચર્ચાનો આરંભ થયો. ચીનના સમ્રાટે ખૂબ જ વિનયથી મહાત્મા કૉન્ફ્યુશિયસને પ્રશ્ન કર્યો, ‘મહાત્માજી, દેવ કરતાં પણ વધુ મહાન વ્યક્તિ કોણ? મને તેની પાસે લઈ જાઓ.’

કૉન્ફ્યુશિયસે જવાબ આપ્યો, ‘સમ્રાટ તમારે ક્યાંય જવાની જરૂર નથી. દેવ કરતાં મહાન વ્યક્તિ તમે પોતે જ છો; કારણ કે જે સત્યને જાણવાની જિજ્ઞાસા રાખે છે, સત્યને શોધે છે તે વ્યક્તિ પોતે મહાન છે.’

સમ્રાટે કહ્યું, ‘આભાર મહાત્માજી. જો એમ હોય તો મને મારા કરતાં વધુ મહાન વ્યક્તિનાં દર્શન કરાવો.’

કૉન્ફ્યુશિયસે સ્મિત કરીને જવાબ આપ્યો, ‘સમ્રાટ, તો મારાં દર્શન કરો. તમારાથી વધુ મહાન વ્યક્તિ હું છું; કારણ હું સત્યને જાણું છું. સત્યને પ્રેમ કરું છું.’

સમ્રાટે કૉન્ફ્યુશિયસના પગ પકડીને નમન કરતાં કહ્યું, ‘અવિનય માફ મહર્ષિ, પણ તમારી નજરમાં જે સર્વોત્તમ મહાન હોય તે વ્યક્તિ દુનિયામાં ક્યાંય પણ હોય તો મને તેની પાસે લઈ જાઓ.’

કૉન્ફ્યુશિયસ બોલ્યા, ‘મહારાજ, તમારી આસપાસ ઘણા મહાન માણસો વસે છે. તમારી રાજધાનીના પાદરની સીમમાં ચાલો.’

સમ્રાટ ત્યાં ગયા. રાજધાની પછીના ખુલ્લા વગડામાં ૯૫ વર્ષનાં એક વૃદ્ધ ડોશી કોદાળીથી કૂવો ખોદી રહ્યાં હતાં.

તેમના તરફ આંગળી ચીંધીને કૉન્ફ્યુશિયસ બોલ્યા, ‘આ ડોશી મહાન છે. તેને કૂવો ખોદવાની કોઈ જરૂર નથી. માત્ર પોતાને જરૂર હોય તો જ કામ કરવું સ્વાર્થ છે. જે બીજાને ખપમાં આવવા આવી રીતે નિર્લિપ્ત બની કામ કરે છે તે વાસ્તવમાં મહાન છે. સ્વાર્થ વિના નિ:સ્વાર્થ કાર્ય કરીને અન્યને મદદરૂપ થનાર મહાન છે.’

સમ્રાટે ડોશીને વંદન કર્યા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

મારા પ્રેમાળ......."પરમાત્મા"

એક ભાઈએ પૂજ્ય મુરારી બાપુને એક સવાલ પુછ્યો કે .....
” ભરત જ્યારે રામ ને વન માંથી પાછા લેવા પોતાની સેના સાથે ચિત્રકુટ જાય છે ત્યારે ભરતને ઘણી વિઘ્નોનો સામનો કરવો પડે છે.
ભરતને સૌ પ્રથમ તો ભીલ જાતીના લોકોએ ગંગા પાર કરતા રોક્યા હતા.
પછી ભરતની પરીક્ષા લેવા સાધુ સંતોએ રોક્યા હતા.
ઘણા અશુરો તેમના માર્ગે આવ્યા હતા.
દેવતાઓ એ પણ ભરતજી ના પારખા લિધા હતા.
અને છેલ્લે જ્યારે ભરતજી તેમની વિશાળ સેના સાથે ચિત્રકુટ તરફ પહોચી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી તેમની સામે ધનુષ્ય લઈને ઉભા રહી ગયા હતા.
પણ ભરત જ્યારે અયોધ્યા પાછા ફરે છે.
ત્યારે કોઈ વિઘ્ન કેમ નથી આવતા ?”

ત્યારે પૂજ્ય મોરારીબાપુ ખુબ જ સારો જવાબ આપે છે 

” ભાઈ ,રામ સુધી પહોચવુ જ મુશ્કેલ છે.
પહોંચી જાય પછી તો બધા જ વિઘ્નો દુર થઇ જાય”

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

"દારુ પીવા દે મસ્જિદ બેસી ને
અથવા તે જગ્યા બતાવ જ્યા ખુદા નથી" (ગાલિબ)

"મસ્જિદ ખુદા નુ ઘર છે.પીવા ની જગ્યા નથી
નાસ્તિક ના દિલ માં જા, જ્યાં ખુદા નથી" (ઇક્બાલ)

"નાસ્તિક ના દિલ માંથી આવ્યો છું એ જોઇ ને હું
ખુદા હાજર છે ત્યા પણ તેને ખબર નથી". (ફરાઝ)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "કબીર વાણી"

"લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર,
કીડી જો મિસરી ચુંગે, હાથી શિર ડારે ધૂર".

"નમ્રતામાં પરમાત્મા વસેલો છે", 
પણ જ્યારે મનમાં અહંભાવ ભરી મોટાઈ ઘુસી જશે, તો પરમાત્માથી દૂર ચાલી જઈશ. 
જેમ નમ્ર બિચારી કીડી ધુળમાંથી ખાંડ વીણી શકે છે, એટલે નમ્ર થયેલું મન જ્ઞાનની ઝીણી વાત સમજી શકે છે. અને મોટો હાથી ખાંડ તો નહીં પકડી શકે પણ ફક્ત ધૂળ ઉડાડશે 
એટલે હાથી જેવા અહંકારી મનુષ્યને "જ્ઞાન" ની ઝીણી વાત કદી પણ સમજાશે નહીં.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

જેમ કાંટાળી ડાળને ફૂલો સુંદર બનાવી શકે છે 
તેમ "સુશીલ સ્ત્રી" ગરીબ માણસ નાં ઘરને 
"સુંદર" અને "સ્વર્ગ" સમું બનાવી શકે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રી ને પોતાનું રમકડું 
માનનારા પુરૂષ ની સામે બંડ કરત .અને 
આજે હું મન થી સ્ત્રી બની ગયો છું
સ્ત્રી ના હ્રદય માં પેસવાને સ્ત્રી બન્યો છું
મારી સ્ત્રી નું હ્રદય પણ ,જ્યાં સુધી હું 
તેને ભોગનું સાધન માનતો હતો,
ત્યાં સુધી નહોતો ચોરી શક્યો . 
- મહાત્મા ગાંધી

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

ભગવાન નું અમૂલ્ય સર્જન એટલે સ્ત્રી. ખરું ને?
રામાયણ માંથી સીતાજી ને બાદ કરો ? 
કઈ નહિ મળે.....?
મહાભારત માંથી દ્રોપદી ને બાદ કરો ?
કઈ નહિ મળે....?
શેતા સગાળશાની વાત માંથી તારામતી ને બાદ કરો ?
કઈ નહિ મળે....?
ક્રિષ્ના અવતાર માં કાના ની લીલા માંથી રાધા ને બાદ કરો ?
કઈ નહિ મળે....?
પુસ્તકો નહિ પસ્તી થઇ જશે…..ખરુંને?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ " કાવ્ય "

એક ગર્ભસ્થ દીકરીનો મા ને કાગળ……

એક દીકરી એ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઇ હૃદયથી રોયા.

હું ટળવળતી કે દીકરો ના બની શકે એ ડામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

તું ય કોકની દીકરી, યાદ છે તું ય કોકની થાપણ.
વાંક શું મારો, કાં આપ્યું આ જનમની પહેલા ખાપણ,

તું દીકરા માટે ઝંખે , પણ કલંક માના નામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

ભ્રુણની હત્યા નથી માત્ર આ છે મમતા નું મોત,
તારા આ એક ક્રૂર વિચારે મારી બુઝી જીવન જોત,

ઓળખી જજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

મમ્મી હવે ભઈલો જન્મે ત્યારે દેજે ચુમ્મી મારી,
આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈંતેઝારી,

હવે તો દીકરો તારો વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..

દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે,
બંધ કરો આ પાપ માફ તો ઈશ્વર પણ ન કરશે.

સાંઈ દીકરીનો કાગળ લઈને ફરતો ગામે ગામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.
એક દીકરી એ ……………..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "કબીર વાણી"

"કીયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર,
કોટ કરમ લાગે રહેં, એક અહંકાર કી લાર".

જ્યારે મનુષ્યને "અહંકાર"નો ભાવ ઉભો થાય છે, 
ત્યારે તેના જીવનમાં કરેલાં બધાં જ શુભ કાર્યોનું પુણ્ય નાશ પામે છે. 
અરે એક જ અહંકારની આગ એટલે ગર્વવાળું ક્રોધભર્યું વર્તન, 
તેને કરોડો કર્મોના ભાગ્યની લંગાર સાથે જોડી દે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

Sunday 2 March 2014


મારા પ્રેમાળ......."પરમાત્મા"

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 
કૃષ્ણની પાસે જવું હોય તો, થાવું પડે સુદામા ... 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 

સાચું છે એ સચરાચર છે, સાચુ છે એ અજરામર છે, 
સાચું છે એ પરમેશ્વર છે ... 
પણ ચો ધારે વરસે મેહૂલીયો તો, મળે એક ટીપામાં, 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 

રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપંતા રહી ગયા, 
એઠા બોરને અમર કરીને, રામ શબરીના થઈ ગયા, 
નહીં મળે ચાંદી-સોનાના અઠળક સિક્કામાં, 
નહીં મળે એ કાશીમાં કે નહીં મળે મક્કામાં, 
પણ નશીબ હોય તો મળી જાય એ તુલસીના પત્તામાં, 
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં ... 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

જીવન માં વિચારવા જેવું .....

ગુસ્સો - "અક્કલ" ને ખાઈ જાય છે.
ઘમંડ - "મન" ને ખાઈ જાય છે.
પ્રાયશ્ર્ચિત - "પાપ" ને ખાઈ જાય છે.
લાલચ - "માણસાઇ" ને ખાઈ જાય છે.
ચિંતા - "આયુસ્ય" ને ખાઈ જાય છે.
રિશ્ર્વત(લાંચ) - "મનુષ્ય" ને ખાઈ જાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "અમૃત વાણી"

મનની ધરતી પર એવાં બીજ ન વાવો કે ....
જેથી આવતી કાલે પાક લણતી વખતે "અશ્રુ" વહાવવાં પડે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

એક અજીબ સવાલ કર્યો મારા પ્રેમી એ મને.
"મારી પર મરતી હોય તો જીવીત કેમ છે."

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "વાહ-વાહ"

"માટી" મારી કબર થી ચોરી રહયું છે કોઇ
મરી ને પણ દિલ ને યાદ આવી રહયું છે કોઇ
એક ક્ષણ ની જીદંગી વધુ દે ખુદા
"ઉદાસ" મારી કબર થી જઇ રહયું છે કોઇ.......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ નુ " કાવ્ય "

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

પરમાત્મા નું સ્વરૂપ...." પિતા "

"પિતા" એટલે પર્વત જેટલા વિશાળ 
વ્યક્તિત્વ માંથી નીકળતી પ્રેમ ની ખળખળતી નદી .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

આજ ની "ટૂંકી વાર્તા"..." સૌથી સુંદર શું? "

એક ખૂબ જ સિદ્ધહસ્ત ચિત્રકાર હતો. અનેક સુંદર કલાકૃતિઓ તેણે સર્જી હતી. એક દિવસ તેણે નક્કી કર્યું કે મારે દુનિયાની સૌથી સુંદર વસ્તુનું ચિત્ર દોરવું છે. 

સૌથી સુંદર વસ્તુ કઈ? ચિત્રકારે ઘણા વિચાર કર્યા. સુંદર નારી, આકર્ષક ફૂલ, રંગીન પતંગિયું, કળા કરતો મોર, સૂર્યોદયની લાલિમા, સૂર્યાસ્તની રંગીન સંધ્યા... ઘણું-ઘણું વિચાર્યું, પણ કંઈ નક્કી ન કરી શક્યો.

તેણે વિચાર્યું મારું મન નક્કી નથી કરી શકતું. લાવ, બીજાના અભિપ્રાય લઉં.

સૌથી પહેલાં તેને રસ્તામાં એક નવોઢા સ્ત્રી મળી. ચિત્રકારે તેને પૂછ્યું, ‘બહેન, તારા મત પ્રમાણે દુનિયાની સૌથી સુંદર વસ્તુ કઈ?’

નવોઢા નવપરિણીત હતી. મનમાં ઘણાં સપનાં હતાં. તેણે જવાબ આપ્યો, ‘દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે પ્રેમ.’

ચિત્રકાર જવાબ સાંભળી મૂંઝાયો. પ્રેમને ચિત્રમાં આલેખવો કેમ?

આગળ જતાં એક સંત ઝાડ નીચે આરામ કરતા હતા. ચિત્રકારે તેમને પોતાની ઇચ્છા જણાવી પૂછ્યું, ‘તમારા મતે દુનિયાની સૌથી સુંદર વસ્તુ કઈ?’

સંતે જવાબ આપ્યો, ‘શ્રદ્ધા.’ 

ચિત્રકાર વધુ મૂંઝાયો. શ્રદ્ધાનો આકાર કયો?

આગળ જતાં એક સૈનિક મળ્યો. ચિત્રકારે ઘાયલ સૈનિકને પૂછ્યું, ‘દુનિયાની સૌથી સુંદર વસ્તુ કઈ?’

સૈનિક યુદ્ધવિરામ બાદ પાછો ફરી રહ્યો હતો. તેણે કહ્યું, ‘શાંતિ.’

ચિત્રકારની મૂંઝવણ વધુ ઘેરી બની. તે થાકીને ઘરે આવ્યો. પત્નીએ હસીને તેના કપાળ પરનો પરસેવો પાલવથી લૂછી પાણી આપ્યું. તેનાં બન્ને બાળકો ‘પિતાજી, પિતાજી’ કરતાં તેને વહાલથી વીંટળાઈ વળ્યાં. તે ચિત્રકારના પિતા શાંતિથી છાપું વાંચતા હતા.

ચિત્રકારને રાહતની લાગણી થઈ. થોડી વાર વિચાર્યા બાદ તે તરત ઊભો થયો અને હાથમાં પીંછી લઈ ચિત્ર દોરવા લાગ્યો. કલાકો અટક્યા વિના તેણે સુંદર ચિત્ર દોર્યું જે હતું એક ખુશહાલ પરિવારનું... જેમાં પત્ની અને બાળકોની આંખોમાં અપાર પ્રેમ અને શ્રદ્ધા હતાં તેમ જ વાતાવરણમાં પ્રેમસભર શાંતિ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠