Tuesday 26 June 2012


આજ ની "અમૃત વાણી"

ભગવાન મૂર્તિઓ માં નથી તમારી અનુભૂતિ જ તમારો ઇશ્ર્વર છે.
અને તમારી આત્મા તમારું મદિંર !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

પ્રશ્ન - એક વાર વાસંળી ને ગોપી ઓ એ પુછ્યું કે તુ કાન્હા ની આટલી નિકટ કેવી રીતે પહોચીં ગઇ ?
અને તેના હોઠ થી કેવી રીતે “ચીપકી” ગઈ?
ઉત્તર - વાસંળી એ કહ્યું કે બહેન હું તો વાંસ ના ઢગલા માં “કાન્હા-કાન્હા” રટ્યા કરતી હતી.
એક દિવસ કાન્હા ની નજર મારી પર પડી.
પછી તો શું હતુ નટખટ કાન્હા એ મને મારા કુટુંબ થી અલગ કરી દીધી.
પછી મને કાપી મને પીડા તો ઘણી તો થતી હતી .પરતું હું “કાન્હા-કાન્હા” જ કરતી હતી 
છતા પણ તેનું મન ભરાયું તો તેણે મારી અદંર જે હતું તે બધું બહાર ફેંકી દીધું.
છતા પણ હું તેના “પ્રેમ” ની દિવાની “કાન્હા-કાન્હા” જ કરતી હતી
ત્યારે તે “ચીત્તચોરે” મારા શરીર ની અંદર “ છ” છેદ કરી દીધા 
ત્યારે પણ હું પાગલ ની જેમ “કાન્હા-કાન્હા” જ કરતી હતી.
અંતે કાન્હા એ કહ્યું કે “તું જીતી હું હારી ગયો”.
હવે તું હમેશા મારા હોંઠ પર બીરાજમાન રહીશ !!!!!.

(આમ જીવન માં અનેક વિઘ્ન આવશે .પરંતુ જે આવા વિઘ્ન ની સામે લડતા કાન્હા નું સ્મરણ કરે છે તેને જરૂર એક દિવસ પરમ ક્રુપાળુ પરમાત્મા તેના ચરણ માં અવશ્ય સ્થાન આપશે.)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કઈંક અવનવું"

કેટલાક એવા કાર્ય અને આદતો જણાવવામાં આવે છે જેથી વ્યક્તિનું જીવન નષ્ટ થઈ જાય છે. જે પણ લોકો આવા કાર્યોમાં રચ્યા-પચ્યા રહે છે તે ન તો ક્યારે ય સુખી થઈ શકે છે અને ન તો પૈસા બચાવી શકે છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્ય કહે છે કે 

बिन विचार खर्चा करे, झगरे बिनहिं सहाय।
आतुर सब तिय में रहै, सो नर बेगि नसाय।।

આ દોહામાં જણાવવામાં આવે છે કે વ્યક્તિને ક્યા-ક્યા કાર્યો ચોપટ કરી શકે છે -

જે બાળકોના માતા-પિતા ઓછી ઉંમરમાં જ એકલા છાડી દે છે, માતા-પિતાનું મૃત્યુ થઈ જાય છે તો એવા બાળકનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે. અનાથ લોકો પણ વધારે ઝડપથી નાશ પામે છે.

જો લોકો વગર કારણે દરેક સાથે ઝગડા કરે છે તેને સમાજમાં અપમાન જ સહન કરવું પડે છે. ઝગડા કરનાર લોકોને કોઈ પસંદ નથી કરતું. આ કારણથી આવા લોકો પણ ચોપટ થઈ જાય છે.

સૌથી વધારે ખરાબ હાલત તો એ લોકોની થાય છે જો વધારે સ્ત્રીઓ માટે બેચેન કરે છે. ઘણી બધી સ્ત્રીઓની આગળ-પાછળ ચતક્કર લગાવે છે. એવામાં લોકો વધારે જ ઝડપથી નાશના આંગણે આવીને તેના ભાગ્ય ઉભા રહે છે. જ્યારે જે પુરુષ પોતાની પત્ની ઉપરાંત કોઈ અન્ય સ્ત્રી સાથે સંગ નથી કરતા તે સુખી અને સમૃદ્ધ રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જે વગર વિચાર્યે ખર્ચ કરે છે તે વધારે ઝડપથી દુઃખી થાય છે. અનાવશ્યક રૂપે કોઈ પણ પ્રકારનો ખર્ચ ન કરવો જોઈએ. વ્યર્થ ખર્ચ કરનાર જો કોઈ રાજા- મહારાજા પણ હોય તો તે પણ વિનાશના માર્ગે વળે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ ની "હેલ્થ ટીપ્સ"...

શું તમે જાણો છો કે વરિયાળી શરીર માટે કેટલી લાભદાયી છે? વરિયાળીમાં અનેક ઔષધિય ગુણ રહેલા છે જે બધાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
નાના કે મોટા બધાને ભાવે તેવી વરિયાળીનાં ગુણો તો જાણી લો જરા....

1. મગજ સંબંધી રોગો માટે વરિયાળી ગુણકારી છે. આના નિરન્તર સેવનથી આંખો ખરાબ નથી થતી અને મોતિયાની સમસ્યા પણ નથી થતી.

2. ઉલ્ટી, તરસ, મન બેચેન થવું, જલન અને, ઉદરશૂલ, પિત્તવિકાર,મરોડ વગેરેમાં વરિયાળીનું સેવન લાભકારી છે.

3. દરરોજ સવારે અને સાંજે દસ ગ્રામ મીઠું ભેળવ્યા વગરની વરિયાળી ચાવવાથી લોહી શુધ્ધ રહે છે અને ત્વચાનો રંગ પણ સાફ રહે છે.

4. હાથ પગમાં બળતરાની સમસ્યા કે પછી બરડામાં નીકળતી ગરમી હોય તો વરિયાળી અને ધાણાને બરાબર પ્રમાણમાં લઈને વાટી લો. જમ્યા પછી દરરોજ એક ચમચી આ મિશ્રણનું સેવન કરો. થોડા દિવસોમાં જ આ સમસ્યા દૂર થઈ જશે.

5. જો તમારા બાળકને હંમેશા અપચા, મરોડ અને દૂધ પાછું આવવાની સમસ્યા રહેતી હોય તો બે ચમચી વરિયાળીના પાવડર સાથે લગભગ 200 ગ્રામ પાણી મિક્સ કરીને ઉકાળી લો. આ પાણીને ઠડું કરીને બોટલમાં ભરી લો. આ પાણીને રોજ દિવસમાં બે-ત્રણ વાર પીવડાવવાથી આ પરેશાની દૂર થાય છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

સસલો અને કાચબો 12મા ધોરણની પરીક્ષામાં બેઠા.
સસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા.
છતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું ! 
કેમ ?
સ્પૉર્ટ્સ ક્વોટા !
નાનો હતો ત્યારે રેસ જીતેલો ને ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Sunday 10 June 2012



આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

રાધા એ કાન્હા ને પુછ્યું કે
હે કાન્હા પ્રેમ નો સાચ્ચો મતલબ શું છે.
ત્યારે કાન્હા એ સ્મિત આપતા સાથે કહ્યું કે
હે રાધે જે પ્રેમ મતલબ માટે કરવા માં આવે તે પ્રેમ જ ક્યાં છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કઈંક અવનવું"

ધર્મશાસ્ત્રોની વાતો પર વિચાર કરો તો કર્મોના બે પરિણામ બતાવવામાં આવ્યા છે – પાપ અને પુણ્ય. જ્યાં પાપ સુખથી વંચિત કરી દુઃખનું કારણ બને છે, ત્યાં પુણ્ય પાપ ઓછું કરી અને મુક્ત કરનાર માનવામાં આવે છે. 

મોટાભાગે જોવામાં આવે છે કે માણસ પાપ કર્મોથી તો ઝડપતી જોડાય છે, ત્યાં સદ્કર્મો અને પુણ્ય કર્મોને લઈને વધારે વિચાર કરે અને સમય લે છે. શાસ્ત્રોમાં આવી પ્રવૃતિની પાછળ 5 ખાસ વાતો જણાવવામાં આવી છે. 

જેના કરણે સાંસારિક જીવનમાં દરેક જાણે-અજાણે પાપ કરી બેસે છે. આ માટે પાપથી બચવા માટે આ વાતોને સામે રાખીને કર્મ, વચાર અને વ્યવહાર પર હંમેશા ધ્યાન આપવું જરૂરી જણાય છે. જાણો આ 5 વાતો –

લખવામાં આવ્યું છે કે –

अविद्यास्मितारागद्वेषाभिनिवेशा: क्लेशा:।। 

સંદેશ છે કે આ પાંચ કલહના વશમાં થવાથી પાપ થાય છે. આ પાંચ ક્લેશ છે –

"અવિદ્યા" – અજ્ઞાનનું રૂપ છે. સરળ શબ્દોમાં સમજો તો દરેક સ્થિતિ અને વિષયને લઈને સાચી સમજણનો અભાવ. જેનાથી ખોટા કર્મો કે વિચારમાં પણ સુખ વધારે સારું લાગે છે, જેનું પરિણામ પાપના રૂપમાં સામે આવે છે. 

"અસ્મિતા" – અહંમ ભાવ. જેથી મન, મસ્તિષ્ક તથા વિચારોને જકડીનાર માનવામાં આવે છે. રાવણ, હિરણ્યકશિપુ કે કંસ પણ આ દોષના કરણ પાપ કર્મમાં લુપ્ત થઈ જાય છે અને દુર્ગતિ મળે છે. 

"રાગ" – આસક્તિનું જ એક નામ, જે સારા-ખરાબની સમજથી દૂર ઈન્દ્રિય અસંયમનું કરણ બની પાપ કરાવે છે.

"દ્વેષ" – મનગમતું ન હોય પણ દુઃખી કે ક્રોધિત થવાનો ભાવ, જેથી કર્મ, વિચાર અને વ્યવહારમાં દોષ પૈદા થાય છે. 

"અભિનિવેશ" – મૃત્યુનો ભય. દરેક માણસ આ જાણે છે કે મૃત્યુ અટલ સત્ય છે, તેનાથી બચવાનું કોઈ રીતે શક્ય નથી છતા તે તન, મન, ધનનો દુરુપયોગ કરી પાપ કર્મ કરે છે.

(મિત્રો તમે આ વિભાગ માં કાઇ નવીન જેમકે ધર્મ,રેસીપી,સમજવા જેવું તેમ જ વિચારવાં તે બધુ આપ સહુ ના સમક્ષ લઇ ને આવીશ તે પણ વિવિધ માધ્યમ દ્વારા જેમકે વિવિધ સમાચાર પત્ર અને પુસ્તક તમને કેવુ લાગે છે તે જરૂર કમેન્ટ કરજો)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

ADMIN ...."સંદેશ"

જ્ઞાન સાથે ગમ્મત માં હુ નિયમિત પોસ્ટ નથી કરી શકતો 
તે બદલ ક્ષમાં માંગુ છું
હુ મારા અતિ વ્યસ્ત કાર્યક્રમ માંથી થોડો પણ સમય કાઢી આપ 
સહુ સમક્ષ કંઇક નવું સદા લાવતો રહીશ અને પ્રયત્ન કરતો રહીશ કેમ કે 
જ્ઞાન સાથે ગમ્મત ખાલી મનોરંજક પેજ નથી પરંતુ 
તેની દરેક પોસ્ટ તમારા જીવન પર સારી અસર કરે અને તમને 
સારુ વિચારવા મજબુર કરે અને તેની માટે હુ કાયમ પ્રયત્ન કરીશ.
તમને જ્ઞાન સાથે ગમ્મત પેજ કેવુ લાગે છે તે જરૂર કમેન્ટ કરજો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

ADMIN ...."સંદેશ"

મિત્રો વરસાદ ની મૌસમ આવી ગઇ છે ચાલો ભીજાંવા 
આ સરસ વરસાદ માં બધા દુઃખ ભુલી બાળક સાથે આપણે પણ આ મોસમ ને માણીએ અને બાળક સાથે બાળક બનીએ.

આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાણા હોય. વરસાદ ઝરમરતો હોય, 
માટીની ભીની સુગંધ અંતરને ભીંજવે, ને મનમાં કોઇના વિચારો સળવળવા લાગે.તો ક્યારેક ધોધમાર વરસાદ હોય, તો પણ હ્રદયમાં કોઇની યાદ સળગે છે તો આ પ્રેમ ની મોસમ ની યાદ માં આસુંદર પંક્તિ અને કાવ્ય આપ સહુ માટે

"આ વરસાદી વાદળ અને ક્યાક છે તુ સાજન,
ક્યાક વરસે વાદળ અને ક્યાક વરસે તુ સાજન"...

કાવ્ય

એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં…

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં…

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં…

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં…

છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં…

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"...

દરરોજના ખાવામાં જો આપ આનાકાની કરતા હોવ તો આપને ડૉક્ટરની દવાઓ ખાવી પડશે. આપ જો જાણશો કે કુદરતના આ ખજાનામાંથી જ આપની કેટલી બીમારીઓ દુર થાય છે તો આપને કેટલો ફાયદો થાય છે. જાઓ આ રહ્યાં આપના રસોડામાં છુપાયેલા ખજાનાના રહસ્યો...

-જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો આપનું બ્લ્ડ પ્રેશર કાબુમાં રહેશે.

- ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રૂપમાં પણ લઇ શકાય.

- હૃદયની બીમારીવાળી વ્યક્તિએ ટામેટાં ખાવાં. તેમાં વિટામિન ‘સી’ અને ‘એ’ તથા પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.

-મેથીના દાણાનું ચુરણ બનાવી દરરોજ ખાલી પેટ એક ચમચી લેવાથી બ્લ્ડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તેને પર કાબુ રહે છે.

-દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝનું જોખમ ઓછું થઈ જાય છે.

-તરબૂચના બીયા અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટ લેવાથી બ્લ્ડ પ્રેશર કાબુમા રહેશે.

-કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દૂધીનો રસ કાઠી, ફુદીનાનાં ચાર પાન, તુલસીનાં બે પાન નાખી દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું....

પ્રેમી તો તારો હું કાયમનો છું,
આજે આશીક બનવા ઇચ્છું છું....

રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,
પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું....

રાતનાં તો બહું નીંદર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું....

સપના તો ખેર તારા જ હોય ને,ભૂલથી કોઈ બીજી આવી જાય તો....
તને એની સાથે લડતાં જોઉં છું,

તું મારા માટે સૌંદર્યની મૂરત છે....
તને જોવાની હું રોજ મજા લૂટું છું,

શરીરથી તો અત્યારે તારાથી દૂર છું....
પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું,

તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું....
પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું,

તુ કમળ બની ને ખિલજે આજે....
હું ભમર બની ને આવું છું,

શબ્દોની આવી જાળ બિછાવી....
તને જ તો ફાંસવા મથું છું,

ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી....
થોડીક ક્ષણ રાહ જો,હું હમણા જ આવું છું....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

કોઇ એ એક "માં" ને સવાલ કર્યો કે તમારા નસીબ માંથી 
સ્વર્ગ છીનવી લેવામાં આવે અને તેની જગ્યા પર તમને 
બીજુ કાંઇ માંગ વા નું કહેવામાં આવેતો તમે ઈશ્ર્વર પાસે થી શું માગશો ?
તો માં એ ચહેરા પર ખુશી છલકાવતા જવાબ આપ્યો કે...
હું મારા બાળક નું નશીબ મારા પોતાના હાથે થી લખવાનો હક્ક તમારી પાસે થી માંગું છું...
કેમકે તેની ખુશી ની આગળ મારી માટે તો આ સ્વર્ગ ખુબ જ નાનું છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

તારા સ્પર્શ થી તારામાં સમાઈ જાવ છું ,
કોણ છું? ક્યાં છું? એ પણ ભૂલી જાવ છું.
જીવંત બનું છું તારા આગમન થી અને 
તારા જવા થી નીસ્પર્શ બની જાવ છું….

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ " કાવ્ય "

મને ખબર છે…. તને હુ ગમુ છું…!
બંધ આંખો ની પાંપણો એ હું રમું છું

મારા દરેક કાવ્યો ને તારો અહેસાસ હશે
મારા કલમ-કાગળ મા તારો આવાસ હશે

રોકીશ ના મને આમ જ ખળખળ વહેવા દે…
તારા સપનામા મારા અસ્તિત્વને રહેવા દે

આજ બુધ્ધિ અને લાગણીઓ ને લડવા દે..
તારા આંસુને મારા શબ્દો વડે અડવા દે!

આજ મને ના રોક મને કહેવા જ દે…
મારી હા ને ‘ના’ ની નજરકેદમા જ રહેવા દે

બીજુ તો શું કહું ……મને પણ તુ ગમે છે…
બંધ આંખો ની પાંપણે તુ જ રમે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "અમૃત વાણી"

જિંદગી એવી જીવો કે તમારા મૃત્યુના સમાચાર 
સાંભળીને સમ્શાન ની રાખ પણ "રડી" પડે !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

મનુષ્ય માટે વેદ અને પુરાણ "વાચવા" 
અને "સમજવા" ખુબ જ સહેલા છે; 
પણ કોઈ મનુષ્ય ની "વેદના" વાચવી અને સમજવી ખુબ જ કઠીન છે !!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

એક કંજૂસ તેની બીમાર પત્ની ને ડૉક્ટર પાસે લઇ ગયો.
ડૉક્ટર - કંજૂસ ને તમે મારી ફી તો બરાબર આપશો ને ?
કંજૂસ - હા. તમે મારી પત્ની ને જીવાડો કે મારો હું તમને જરૂર ફી આપીશ.
બન્યું એવું કે સારવાર દરમ્યાન એ કંજૂસ ની પત્ની મૃત્યુ પામી.
ડૉક્ટરે પોતાની ફી માંગી.
કંજૂસ - તમે મારી પત્ની ને જીવાડી ?
ડૉક્ટર - " ના "
કંજૂસ - તો શું તમે એને મારી નાખી ?
ડૉક્ટર - " ના "
કંજૂસ - તો પછી હું તમને ફી શાની આપું ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી