Thursday 29 August 2013


આજ નુ " કાવ્ય "

આવીને કોઈ મને પૂછે કે
પ્રેમને કેવી રીતે ઓળખે તું ???
હું કહીશ કે હું રાધા ,અને કૃષ્ણ મારો પ્રેમ .......
મને જગતનું બંધન નહીં ...
પ્રેમ મારો ભક્તિ ,અને કૃષ્ણ મારા શ્વાસ ,
જીવ મારો ગભરાય જો કૃષ્ણને ના જોઉં હું પાસ ......
ના કોઈ તૃષ્ણા ,ના કોઈ આસ ,
બસ એની વાંસળી અને અમારો રાસ !!!
એના રેલાતા સૂર પર જગત ભૂલી જાઉં ,
ઘેલી ઘેલી થઇ જાઉં જયારે કદંબ ડાળે હું ઝૂલા ખાઉં !!!
જાણું છું આ બાર વર્ષનો છે સાથ ,
પછી તો જીવનભરનો અજ્ઞાતવાસ ,
છતાય એ પ્રેમની સુવાસ છે
અને એક વિશ્વાસ છે
કે કસમ ખવાશે જયારે પ્રેમની તો 
એક નામ હશે ત્યારે ...રાધે કૃષ્ણ ..........
બંધન વગર પણ સદૈવ બંધાયેલા "રાધે કૃષ્ણ" 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment