Sunday 9 March 2014


મારા પ્રેમાળ......."પરમાત્મા"

એક ભાઈએ પૂજ્ય મુરારી બાપુને એક સવાલ પુછ્યો કે .....
” ભરત જ્યારે રામ ને વન માંથી પાછા લેવા પોતાની સેના સાથે ચિત્રકુટ જાય છે ત્યારે ભરતને ઘણી વિઘ્નોનો સામનો કરવો પડે છે.
ભરતને સૌ પ્રથમ તો ભીલ જાતીના લોકોએ ગંગા પાર કરતા રોક્યા હતા.
પછી ભરતની પરીક્ષા લેવા સાધુ સંતોએ રોક્યા હતા.
ઘણા અશુરો તેમના માર્ગે આવ્યા હતા.
દેવતાઓ એ પણ ભરતજી ના પારખા લિધા હતા.
અને છેલ્લે જ્યારે ભરતજી તેમની વિશાળ સેના સાથે ચિત્રકુટ તરફ પહોચી રહ્યા હતા ત્યારે લક્ષ્મણજી તેમની સામે ધનુષ્ય લઈને ઉભા રહી ગયા હતા.
પણ ભરત જ્યારે અયોધ્યા પાછા ફરે છે.
ત્યારે કોઈ વિઘ્ન કેમ નથી આવતા ?”

ત્યારે પૂજ્ય મોરારીબાપુ ખુબ જ સારો જવાબ આપે છે 

” ભાઈ ,રામ સુધી પહોચવુ જ મુશ્કેલ છે.
પહોંચી જાય પછી તો બધા જ વિઘ્નો દુર થઇ જાય”

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment