Sunday 9 February 2014


આજ નુ "જ્ઞાન" ...." ભારત રત્ન "

ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. 
આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી. શરુઆતમાં આ પુરસ્કારને મરણોપરાંત આપવાની જોગવાઇ ન હતી, પરંતુ પાછળથી આ જોગવાઇ ૧૯૫૫ માં કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુરસ્કાર ૧૧ વ્યક્તિઓને મરણોપરાંત પ્રદાન કરવામાં આવ્યો છે. (# = મરણોપરાંત)
અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રી નું નામ જાણીતું છે.

ભારત રત્નથી સન્માનિત 

નામ , વર્ષ , યોગદાન .

૧. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન , ૧૯૫૪ , બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક.
૨. સી.રાજગોપાલાચારી , ૧૯૫૪ , છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની.
૩. ડો.સી.વી.રામન , ૧૯૫૪ , નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી 
૪. ડો.ભગવાનદાસ , ૧૯૫૫ , દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની.
૫. ડો.એમ.વિશ્વેશ્વરૈયા , ૧૯૫૫ , ભાખરાનાગલ બંધના નિર્માતા,સિવિલ એન્જી. 
૬. જવાહરલાલ નહેરુ , ૧૯૫૫ , પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક.
૭. ગોવિંદવલ્લભ પંત , ૧૯૫૭ , સ્વાતંત્ર્ય સેનાની,ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી.
૮. ધોન્ડો કેશવ કર્વે , ૧૯૫૮ , શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. 
૯. ડો.બી.સી.રોય , ૧૯૬૧ , ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂ.પૂ.મુખ્ય મંત્રી. 
૧૦. પુરુષોત્તમદાસ ટંડન , ૧૯૬૧ , સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. 
૧૧. ડો.રાજેન્દ્રપ્રસાદ , ૧૯૬૨ , પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. 
૧૨. ડો.ઝાકીર હુસેન , ૧૯૬૩ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ,જામીયા મિલિયાના સ્થાપક. 
૧૩. ડો.પી.વી.કાણે , ૧૯૬૩ , સંસ્કૃતના વિદ્બાન
૧૪. લાલબહાદુર શાસ્ત્રી # , ૧૯૬૬ .બિજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. 
૧૫. ઈન્દિરા ગાંધી , ૧૯૭૧ , પ્રથમ મહિલા વડાપ્રધાન. 
૧૬. ડો.વી.વી.ગીરી ૧૮૯૪–૧૯૮૦ ૧૯૭૫ ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. આંધ્ર પ્રદેશ
૧૭. કે.કામરાજ # , ૧૯૭૬ , સ્વાતંત્ર્ય સેનાની. 
૧૮. મધર ટેરેસા , ૧૯૮૦ નોબૅલ વિજેતા(શાંતિ, ૧૯૭૯). 
૧૯. વિનોબા ભાવે # , ૧૯૮૩ , ભૂદાન ચળવળનાં પ્રણેતા. 
૨૦. અબ્દુલગફાર ખાન , ૧૯૮૭ , સરહદનાં ગાંધી,સ્વાતંત્ર્ય સેનાની.
૨૧. એમ.જી.રામચંદ્રન # , ૧૯૮૮ , ફીલ્મ અભિનેતા,તામિલ નાડુના ભૂ.પૂ.મુખ્ય મંત્રી.
૨૨. ડો.ભિમરાવ આંબેડકર # , ૧૯૯૦ , બંધારણ સભાનાં પ્રમુખ. 
૨૩. નેલ્સન મંડેલા , ૧૯૯૦ , રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા.
૨૪. રાજીવ ગાંધી # , ૧૯૯૧ , ભૂ.પૂ.વડાપ્રધાન. 
૨૫. સરદાર વલ્લભભાઈ પટેલ # , ૧૯૯૧ , સ્વાતંત્ર્ય સેનાની,લોખંડી પૂરૂષ. 
૨૬. મોરારજી દેસાઈ , ૧૯૯૧ , ભૂ.પૂ.વડાપ્રધાન,સ્વાતંત્ર્ય સેનાની. 
૨૭. મૌલાના અબ્દુલકલામ આઝાદ # , ૧૯૯૨ , સ્વાતંત્ર્ય સેનાની,શિક્ષણશાસ્ત્રી.
૨૮. જે.આર.ડી.તાતા , ૧૯૯૨ , મહાન ઉધોગપતિ. 
૨૯. સત્યજીત રે , ૧૯૯૨ , ફિલ્મ સર્જક 
૩૦. ડો.એ.પી.જે.અબ્દુલ કલામ , ૧૯૯૭ , વૈજ્ઞાનિક, ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. 
૩૧. ગુલઝારીલાલ નંદા , ૧૯૯૭ , સ્વાતંત્ર્ય સેનાની,ભૂ.પૂ.વડાપ્રધાન. 
૩૨. અરુણા અસફઅલી # , ૧૯૯૭ , સ્વાતંત્ર્ય સેનાની. 
૩૩. એમ.એસ.સુબ્બુલક્ષ્મી , ૧૯૯૮ , શાસ્ત્રીય ગાયિકા. 
૩૪. સી.એસ.સુબ્રહ્મણ્યમ્ , ૧૯૯૮ , સ્વાતંત્ર્ય સેનાની,હરિયાળી ક્રાંતિના પ્રણેતા. 
૩૫. જયપ્રકાશ નારાયણ # ,૧૯૯૮ , સ્વાતંત્ર્ય સેનાની,સમાજ સેવક. 
૩૬. પંડિત રવિશંકર , ૧૯૯૯ , પ્રખ્યાત સિતારવાદક.
૩૭. અમતર્યસેન , ૧૯૯૯ , નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮),અર્થશાસ્ત્રી. 
૩૮. ગોપીનાથ બોરડોલોઈ # , ૧૯૯૯ , સ્વાતંત્ર્ય સેનાની.
૩૯. લતા મંગેશકર , ૨૦૦૧ , પાશ્વ ગાયિકા. 
૪૦. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન ,૨૦૦૧ , શાસ્ત્રીય શરણાઇવાદક 
૪૧. ભીમસેન જોશી , ૨૦૦૯ , શાસ્ત્રીય ગાયક 
૪૨. સી.એન.આર.રાવ , ૨૦૧૪ , વૈજ્ઞાનિક 
૪૩. સચિન તેંડુલકર , ૨૦૧૪ , ક્રિકેટર 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment