Saturday 6 October 2012


આજ ની "હેલ્થ ટીપ્સ"..."આમળા"

આમળા જેને અંગ્રેજીમાં ઈન્ડીયન ગૂજબેરીના નામે તથા સંસ્કૃતમાં ધાત્રી અને શિવાના નામથી ઓળખવામાં આવે છે, એક બહુ-ઉપયોગી ઔષધિ વનસ્પતિ છે. મધ્યમ આકારનું વૃક્ષ જેની ઊંચાઈ 20-25 ફૂટ હોય છે, પાનડાં આમલી જેવા હોય છે. 
આમળ
ાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમળાનું ફળ વિટામીન-સીનો સૌથી મોટો સ્ત્રોત છે. આમળા બ્લડને પ્યોરિફાય કરે છે. આમ તો તેના અસંખ્ય ઔષધીય પ્રયોગ હોય છે.

1- આમળાના ફળને સૂકવીને તેને લગભાગ 20 ગ્રામની માત્રામાં બહેડાના ચૂરણ તથા તેનાથી બમણી માત્રા(લગભગ ચાલીસ ગ્રામ) કેરીની ગોટલીના પાવડર અને પાંચ ગ્રામ લોહ પાવડરની સાથે આખી રાત પલાળી રાખો. હવે સવારે તેને રોજ પોતાના વાળના મૂળમાં લેપ કરો. તેનાથી તમારા વાળ કાળા, સુંદર અને ઘાટ્ટા બની જશે.

2- હાયપર એસીડીટીથી પીડાતા લોકો માટે આમળા એક શ્રેષ્ઠ ઔષધી છે. બસ તમે તાજા 1-2 આમળાને સાકરની સાથે સવાર-સાંજ પ્રયોગ કરો. તમે આમળાનો સ્વરસનો ઉપયોગ મધની સાથે પણ કરી શકો છો.

3- આમળા, અરીઠા અને શિકાકાઈ આ બધાનું મિશ્રણ કરી પેસ્ટ તૈયાર કરીને ગરમ કરો ત્યારબાદ ઠંડુ કરીને માથુ ધુઓ, તેનાથી વાળ મુલાયમ, ઘનિષ્ઠ અને લાંબા થઈ જાય છે.

4- જો લીવરની નબળાઈ હોય કે સંક્રમણને લીધે પીળીયો થઈ ગયો હોય તો તે વખતે આમળાની ચટણીને મધ સાથે પ્રયોગ કરવો ખૂબ જ ફાયદાકારક રહે છે.

5- જો રોગીને પેશાબ સંબંધી કોઈ તકલીફ થઈ રહી હોય તો તમે આમળાની તાજી છાલનો રસ 10-20 ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ ઉપયોગ કરો.

6- જો કબજિયાતની સમસ્યા હોય અર્થાત્ પેટ સાફ ન થતું હોય તો બસ આમળાનું ચૂરણ અઢીથી પાંચ ગ્રામની માત્રામાં નવશેકા પાણી સાથે દિવસમાં ત્રણવાર સેવન કરો, તેનાથી મળ ખુલીને આવશે અને માથાનો દુખાવો, અજીર્ણ અને બવાસીર જેવી સમસ્સાઓમાં પણ લાભ મળશે. જો મળ સાથે લોહી આવી રહ્યું હોય અર્થાત્ રક્તાતિસારની સ્થિતિ હોય તો તમે બસ આમળાના સ્વરસને 10-20 ગ્રામની માત્રામાં પાંચ ગ્રામ મધ અને અઢી ગ્રામ ઘી સાથે મેળવીને પીવડાવો, તેનાથી લાભ ચોક્કસ થશે.

7- સાંધાના દુખાવામાં આમળા સૂકવીને 10-20 ગ્રામની માત્રામાં લઈ એટલી જ માત્રામાં ગોળને લગભગ અડધો લીટર પાણીમાં ઉકાળો, જ્યારે 250 મિલી બાકી રહે ત્યારે તેને ગળીને પીડિત વ્યક્તિને આપો, દર્દમાં ચોક્કસપણે લાભ મળશે.

8- જો ખંજવાળથી પરેશાન થઈ રહ્યા હોવ તો આમળાની ગોટલીને બાળીને તેનો ભસ્મ બનાવીને તેમાં નારીયળનું તેલ મેળવી જ્યાં ખંજવાળ હોય તે જગ્યાએ લગાવો અને લાભ જુઓ.

9- ટાઈપ-2 ડાયાબિટિસથી પીડિત રોગીઓ માટે આમળાનો પ્રયોગ કોઈ રામબાણ ઔષધિથી કમ નથી, બસ તમે આમળાને હડરે, બહેડા, નાગરમોથા, દારુહરિદ્રા(એક જાતની હળદર) તથા દેવદારુ આ બધાને એકસાથે મેળવીને ઉકાળો બનાવવાની વિધિથી બનાવો. ત્યારબાદ સવાર-સાંજ દસથી પંદર મિનિટની માત્રામાં ખાલી પેટે લેવાથી બ્લડ સુગર નિયંત્રિત થાય છે.

10- મહિલાઓમાં રક્ત પ્રદર તથા શ્વેતપ્રદર(લ્યૂકોરીયા)માં પણ આમળા એક અસરકારક ઔષધીના રૂપમાં કામ કરે છે. બસ આમળાના સ્વરસને 10થી 15 મિલીની માત્રામાં જીરાના પાવડરની સાથે મેળવીને દિવસમાં બેવાર સેવન કરાવો તેનાથી રક્તપ્રદરમાં ચોક્કસલાભ મળશે. આ પ્રકારે આમળાના બીજને 10-20 ગ્રામની માત્રામાં પાણીમાં મેળવી પીસીને, ગળીને તેને સરખી માત્રામાં મધ અને સાકરની સાથે લેવાથી શ્વેતપ્રદર(લ્યૂકોરિયા)માં અત્યંત અસરકારક પ્રયોગ છે.

11- જો ભૂખ ન લાગી રહી હોય તો આમળાને બાફી લો અને હવે તેમાંથી બીજ કાઢ્યા પછી તેને સૂકવીને કાળી મરી, સૂઢ, વાટેલું જીરૂ અને હીંગ સાથે મેળવીને સેવન કરવાથી ચોક્કસપણે લાભ મળશે.

12- જો નાકમાંથી ખૂન આવવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી હોય તો બસ આમળાને જાંબુ અને કેરીની સાથે કાંજી(એક જાતનો રસ)માં મેળવીને પીસીને નાકમાં પાડવાથી નાકમાંથી આવતું લોહી બંધ થઈ જાય છે.

13- જો હેડકી રોકાઈ ન રહી હોય તો આમળાના સૂઢ અને પિપ્પળીની સાથે લગભગ 2.5-2.5 ગ્રામની માત્રામાં ચૂરણ બનાવી લગભગ પાંચ ગ્રામ ખાંડ અને એક ચમચી મધની સાથે ઉપયોગ કરવા માત્રથી હેડકી બંધ થઈ જાય છો.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment