Monday 6 August 2012


આજ નુ "જ્ઞાન" ......સોમનાથ જ્યોતિર્લિંગ 

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ છે, જેનું અનેરું મહત્વ છે. મહાત્મ્ય અને તેની રસપ્રદ વાતો...

1 સોમનાથ મહાદેવ પ્રથમ, સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. દક્ષપ્રજાપતિની દિકરીઓ ચંદ્રને પરણાવેલી હતી. ચંદ્ર તેમાંથી રોહિણ
ીને વધારે પ્રેમ કરતો હતો, માટે બાકીની કન્યાઓ એ, તેના પિતા દક્ષને ફરિયાદ કરી. દક્ષે ક્રોધમાં આવી ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો.

2 ક્ષયના રોગથી ત્રાસીત થઈને ચંદ્ર, ઈન્દ્ર પાસે જાય છે. ઈન્દ્રએ શિવજીને મનાવવા કહ્યું. ચંદ્રએ પ્રભાસ ક્ષેત્ર પસંદ કર્યું અને ત્યાં તેણે શિવજીનું તપ કર્યું. શિવજી ચંદ્રના તપથી પ્રસન્ન થયા અને ચદ્રને વરદાન આપતા કહ્યું ‘‘ દક્ષનો આ શ્રાપ સંપૂર્ણ તો નાશ નહીં પામે પણ તમારા ક્ષયનું સ્વરૂપ પંદર દિવસ રહેશે. પંદર દિવસ તમે સાજા-સારા સ્વરૂપમાં આવી જશો.’’ રીતે સુદ-વદ પક્ષનો પ્રારંભ થયો.

3 આ સમયે ચંદ્રદેવે શિવજીને વારંવાર વંદન કરી અને કહ્યું કે તમે અહીં બિરાજમાન થાવો. ચંદ્ર દેવની આ પ્રાર્થનાનો આદર કરી અને શિવજીએ તેમના જ્યોતિ સ્વરૂપમાં ત્યાં લિંગ રૂપે બિરાજમાન થયા. આ સમયથી તે સોમનાથ – સોમ એટલે ચંદ્ર, ચંદ્રના નાથ – તરીકે પ્રસિદ્ધ થયા.

4 સોમનાથનું પહેલું મંદીર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈ.સ. પૂ.649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદીરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદીર બનાવ્યું જે લાલ પથ્થરમાંથી નિર્માણ પામ્યું છે. મહમદ ગઝનવીએ સોમનાથના મંદીરના મૂલ્યવાન ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી.

5 સિદ્ધરાજ જયસિંહના સમયમાં ભારે ઝાકમઝોળથી આ ભોલેનાથને રાખવામાં આવતા હતા. સોમનાથનું આ ભવ્ય મંદિર ઈતિહાસની નજરે જોતા ઘણીવાર તૂટ્યું છે, પણ ફરી તેનો કોઈને કોઈ ઉદ્ધારક આવી ચડે છે અને ભવ્યથી પણ ફરી ભવ્ય બનાવવામાં આવે છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment