Monday 16 July 2012


આજ ની "હેલ્થ ટીપ્સ"...

રૂટિન લાઈફમાં જો મધનો ઉપયોગ કરવામાં આવે તો તે આપની હેલ્ધ માટે ઘણું જ સારુ માનવામાં આવે છે. આપની ઘણી શારીરિક અને
માનસિક સમસ્યાઓ દૂર કરવા મધનો ઉપયોગ થઈ શકે છે.

1 દરરોજ 25 ગ્રામ મધ જરૂર લો પણ મધ એકલુ નહીં દૂધ કે પાણી સાથે જ લો. જો રાતે સૂતા પહેલા દૂધની સાથે મધ લેવામાં આવે તો ખૂબ જ સારી ઊંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.

2 ગ્લોઈંગ સ્કિન માટે પણ આપ મધનો ઉપયોગ કરી શકો છો. -બેસન, મલાઈ મધમાં મેળવી ત્વચા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરાને ધોઈ લો. ચહેરો ચમકી જશે. 

3 ત્વચાનો રોગ હોય કે કપાયેલો કે બળેલ ભાગ હોય તો મધ લગાવો તો જાદુ જેવી અસર થશે. ત્વચા કોઈપણ પ્રકારના રોગ દૂર કરવા અક્સીર છે મધ 

3 દૂધમાં ખાંડની જગ્યાએ મધ લેવાથી ગેસ નથી થતો અને પેટના કીડાઓ નીકળી જાય છે. 

4 ખાંસી થાય ત્યારે મધની ભાપ લો અને તે પાણીથી જ કોગળા કરો. દરરોજ નવશેકા પાણીની સાથે મધ લેવાથી મેદસ્વીતામાં ઘટાડો થાય છે.

5 મધને દાંતના પેઢા ઉપર લગાવવાથી પાયોરિયા નથી થતો. 

6 નાના બાળકોને દૂધ પહેલા મધ ચટાડવામાં આવે ત્યારબાદ દૂધ પીવડાવવામાં આવે તો આ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. 

7 બાળકોના જ્યારે દાંત નિકળતા હોય ત્યારે બાળકના પેઢા ઉપર મધ ઘસો તો આસાનીથી દાંત ફુટી નિકળશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment