આજ નુ " કાવ્ય "
મન મુજબ ની જિદંગી મળે તોય શું ?
પાનખર માં પાન લીલું મળે તોય શું ?
નસીબ-રેખા આગળ માનવીનું ચાલે શું ?
પછી ત્યા હાથ હોય કે ન હોય તોય શું ?
કબર પર રોજ ફૂલો ધરાવી ને ફાયદો શું ?
એમાથી શ્ર્વાસ સંભળાતો હોય તો શું ?
જીવે તો નડતા રહે ,મરે તો મળતા નથી,
એવું કહેનાર ખુદ ઘરમાં જ મળે તો શું ?
જેટલું પણ જીવો ઉત્સવ મનાવતા જીવો
જિદંગી જીવવા બીજી જિદંગી ન મળે તોય શું ?
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment