Sunday 9 March 2014


આજ ની "કબીર વાણી"

"લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર,
કીડી જો મિસરી ચુંગે, હાથી શિર ડારે ધૂર".

"નમ્રતામાં પરમાત્મા વસેલો છે", 
પણ જ્યારે મનમાં અહંભાવ ભરી મોટાઈ ઘુસી જશે, તો પરમાત્માથી દૂર ચાલી જઈશ. 
જેમ નમ્ર બિચારી કીડી ધુળમાંથી ખાંડ વીણી શકે છે, એટલે નમ્ર થયેલું મન જ્ઞાનની ઝીણી વાત સમજી શકે છે. અને મોટો હાથી ખાંડ તો નહીં પકડી શકે પણ ફક્ત ધૂળ ઉડાડશે 
એટલે હાથી જેવા અહંકારી મનુષ્યને "જ્ઞાન" ની ઝીણી વાત કદી પણ સમજાશે નહીં.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment