Wednesday 5 September 2012


આજ નુ "જ્ઞાન" ....."અધિકમાસ તથા પુરુષોત્તમ માસ"

હિન્દૂધર્મ પંચાંગમાં લગભગ દર ત્રણ વર્ષે એક વર્ષ વધી જાય છે, જે અધિકમાસ તથા પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ માસ ધર્મ-કર્મ, સ્નાન, દાન, ભક્તિ તથા સેવા માટે વધારે 
જ પુણ્યદાયી માનવામાં આવે છે. 
ધર્મની સાથે જોડાયેલી તે ખાસ વૈજ્ઞાનિક બાબતો જેને કારણે હિન્દૂ વર્ષમાં એક માસ એટલે કે અધિકમાસ દર 3 વર્ષમાં વધી જાય છે... 
જ્યોતિષ વિજ્ઞાન અનુસાર સૂર્ય સંપૂર્ણ વર્ષમાં 12 રાશિઓ માંથી પસાર છે. સૂર્યના આ રાશિઓમાં ભ્રમણ લગભગ 365 , 8 કલાક, 48 મિનિટ અને 24 સેકન્ડ માં પૂરું થાય છે. સૂર્યના એક રાશિમાં સમય પસાર કરી, બીજી રાશિમાં પ્રવેશ કરવા સુધીનો કાળ સૌરમાસ કહેવામાં આવે છે. આ માટે સૂર્યની આ ગતિના અધાર પર કરવામાં આવેલી વર્ષગણના સૌરવર્ષ કહેવામાં આવે છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી નિયત વર્ષ પણ પૃથ્વી દ્વારા કરવામાં આવેલી સૂર્યની 365 દિવસની પરિક્રમા પર આધારિત છે. આ રીતે પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રમા સૂર્યની સાપેક્ષ ગતિ બનાવવા માટે પરિક્રમામાં લગભગ 27થી 29 દિવસનો સમય લે છે.
ચંદ્રમાની ગતિના આ સમયગાળાને ચંદ્રમાસ કહેવામાં આવે છે. આ અવધિના આધારે જો ચંદ્રમાસની ગણના કરો તો એક ચંદ્રવર્ષ 354 દિવસોનું થાય છે, જો કે સૌર વર્ષ 365 દિવસોનું થાય છે. આ રીતે ચંદ્ર વર્ષમાં ૧૦ દિવસ, ૨૧ કલાક, ૨૦ મિનિટ અને ૪૫ સેકન્ડનો દિવસ ઓછા થાય છે. અહીં અંતર લગભગ 32 માસમાં વધીને એક ચંદ્રમાસ એટલે કે 27થી 29 દિવસનું થાય છે.
સનાતન ધર્મમાં પ્રાચીન ઋષી-મુનિઓ, ગ્રહ-નક્ષત્રો અને જ્યોતિષ વિદ્યાના જાણકારોએ કાલગણના ત્રુટિરહિત કરવાની દ્રષ્ટિથી જ ચંદ્રવર્ષ અને સૌરવર્ષની આ રીતે ગણતરી કરી છે. ચંદ્ર અને સૂર્યની આ અવધિના અંતરને દૂર કરવા માટે 32 માસ 26 દિવસ અને ચારઘડીના સમયગાળાથી એટલે કે દરેક ત્રીજા ચંદ્રવર્ષમાં એક વધારાનો ચંદ્રમાસ જોડીને 11 દિવસોના અંતરને પૂરું કરવાનું નિયત કરવામાં આવ્યું છે. આ માસ જ અધિકમાસ કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં પણ ચંદ્રમાસ અને સૌરમાસના અંતરને અધિકમાસ જ કહેવામાં આવે છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment