Saturday 4 August 2012


આજ ની "હેલ્થ ટીપ્સ"...

આર્યુવેદમાં વિશ્વાસ રાખતા હોવ તો આપને આ વાતની જાણ હશે જ કે કારેલા પચવામાં હલકાં અને અનેક બીમારીઓનો ઈલાજ છે.
એટલું જ નહીં તે ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દુર કરનારા, ડાયાબિટીસ નાશક, સોજા જેવી બીમારી
 દુર કરનારા, માસિક ધર્મની બીમારીને દુર રનારા, આંખોનું તેજ પાછુ લાવે છે, રક્ત શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે.

તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દુર કરે છે. દરરોજ કારેલાનો જ્યૂસ પીવાનો આટલો બધો ફાયદો છે.

કડવા લાગતા કારેલાના આટલાં ફાયદા છે દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. તે સાથે આટલા રોગો સામે લડવાની તાકાત પણ.

ડાયાબિટીસની બીમારીમાં કારેલાના ટુકડા કાપી તેને છાયડામાં જ સુકવી તેને ઝીણા પીસી દો. તેમાં દસમાં ભાગની કાળા મરી ઉમેરી લો. આ પાવડર દરરોજ સવાર સાંજ એક ચમચી પાણીમાં મેળવી પીવો આપને ઘણો લાભ થશે

મલેરિયાની બીમારીમાં કારેલાના 3-4 પત્તા 3 કાળામરીના દાણા સાથે પીસી લો અને આ રસ શરિર પર લાગાવો તેનાથી રાહત થશે.

જો નાના બાળકની ઉલટી બંધ નથી થતી તો તેને કારેલાના 2-3 દાણા અને કાળા મરીના 2 દાણા સાથે લસોટી ચટાડો તેની ઉલટી બંધ થઈ જશે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment