Sunday 29 January 2012


આજ નુ " કાવ્ય "

સંધ્યા સમયે તને, હાથોની લકિરમાં ફંફોસુ છું,
જો નથી મળતા લકિરમાં તો નસીબને કોસું છું.

હું સ્વપ્ન થઈને તારા નયનને ઘર બનાવુ છું,
ન આવો તમે સપનામાં તો પાંપણ પલાળુ છું.

તારુ નામ લખી પથ્થર પર, હું સેતુ બનાવુ છું,
તારા દિલ સુધી પહોચવાનો રસ્તો બનાવુ છું.

તને આવે મારી યાદ, તેવી જડીબુટ્ટી સોધું છું,
વિખરાયેલા સબંધોને જોડવાની રીત સોધું છું.

મૃગજળ તરવા કાજે, હું એક નાવ બનાવુ છું,
તુંટલા હલેસાથી, મારી જીવન નૈયા ચલાવુ છું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment