2) મરીને સોઈથી છેદીને ધીમા તાપથી તપાવો. જ્યારે ધુમાડો થવા લાગે તો શ્વાસ લો. આ પ્રયોગથી માથાનો દુખાવો બરાબર સારો થઈ જાય છે. હેડકી પણ બંધ થઈ જાય છે.
3) મરી 20 ગ્રામ, જીરું 10 ગ્રામ અને સાકર કે મિશ્રી 15 ગ્રામ પીસીને મેળવી લો. તેને સવાર-સાંજ પાણીની સાથે ફાંકી લો. હરસમાં લાભ થશે. - મધમાં મરીનો ભૂકો મેળવી અને દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી ઊધરસ બંધ થઈ જાય છે.
4) અડધી ચમચી પીસેલી મરી થોડા એવા ઘીની સાથે મેળવી રોજના સવાર-સાંજ નિયમિત ખાવાથી આંખની રોશની વધી જાય છે. - મરી 20 ગ્રામ, સૂંઠ, જીરું તથા સીંધાલું નમક બધું 10-10 ગ્રામ માત્રામાં પીસીને મેળવો. ભોજન પછી અડધી ચમચી ચૂર્ણ પાણીની સાથે ફાંકવાથી એસિડિટી દૂર થઈ જાય છે.
5) ચાર-પાંચ દાણા મરીની સાથે 15 દાણા કિસમિસ ચાવવાથી ઊધરસમાં લાભ થાય છે. - જો તમારું બ્લડપ્રેશર લો રહે છે, તો દિવસમાં બે-ત્રણ વાર પાંચ દાણા મરીની સાથે 21 દાણા કિસમિસનું સેવન કરો.
6) તાવમાં તુલસી, મરીનો કાઢો લાભકારી રહે છે. - મરી, હિંગ, કપૂર, આ બધાને પાંચ-પાંચ ગ્રામ મિશ્રણ બનાવો. પછી તેની નાની નાની ગોળી બનાવો, દરેક ત્રણ કલાક પછી એક ગોળી દેવાથી ઉલ્ટી, ઝાડા બંધ થઈ જાય છે.