Saturday, 8 September 2012


જીવન માં વિચારવા જેવું .....

જીવન ના "6" નિયમ
1) પ્રાથના કરતા પહેલા તમે "વિશ્ર્વાસ" રાખો.
2) બોલતા પહેલા "સાંભળતા" શીખો.
3) ખર્ચ કરતા પહેલા પૈસા ને "કમાતા" શીખો.
4) કંઇક લખતા પહેલા "વિચારતા" શીખો
5) જીવન માં હારતા પહેલા એક "પ્રયત્ન" તો કરો.
6) જીવન માં મરતા પહેલા સારુ "જીવતા" તો શીખો.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી


Wednesday, 5 September 2012


આજ નુ " કાવ્ય "

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,
જીવનમાં જીવવા જેવુ કંઇ તારા વગર ક્યાં છે ?

ઉભયનો અર્થ એકજ છે, મરણ જીવન અવર ક્યાં છે,
કહે છે લોક જેને પાનખર એ પાનખર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે ?

હવે તો છે બધું સરખું કો માળો હોય કે પીંજર,
હતા બે ચાર ‘પર’ તૂટેલ એ બેચાર ‘પર’ ક્યાં છે ?

અધૂરી આશ છે દિલની અધૂરા કોડ છે દિલના,
મળી છે લાખ પ્યાલી પણ કોઇ મસ્તીસભર ક્યાં છે ?

સમજ પણ એ જ છે મુજમાં નજર પણ એજ છે કિન્તુ,
સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે ?

નયનનાં તીરના ઝખ્મો કરી બેઠાં છે ઘર એમાં,
હવે દિલ મારું દિલ ક્યાં છે, જિગર મારું જિગર ક્યાં છે ?

તને છે રૂપની મસ્તી મને છે પ્રેમની મસ્તી,
તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે ?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ “ઘાયલ”,
યદિ છે તો જગતમાં કોઇને એની કદર ક્યાં છે ?

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

મારા પ્રેમાળ......."પરમાત્મા"

મહાવીર ભગવાન ઝાડ ની નીચે ધ્યાન મગ્ન બેઠા હતા.તે ઝાડ પર કેરી લટકી રહી હતી.
નાના બાળકો એ કેરી તોડવા થોડા પત્થર ફેક્યાં .થોડા પત્થર કેરી ને લાગ્યા અને તેમાં થી એક પત્થર મહાવીર પ્રભુ ને લાગ્યો.
બાળકો એ કહ્યું કે 
હે પ્રભુ અમને ક્ષમા કરજો,અમારે કારણે તમને જે કષ્ટ થયો.
પ્રભુ એ કહ્યું કે મને કોઇ જ કષ્ટ નથી થયો.
બાળકો એ પુછ્યું કે હે પ્રભુ તો પછી તમારી આંખો મા આંસુ કેમ ?
મહાવીર ભગવાને કહ્યું કે તમે ઝાડ ને પત્થર માર્યો તો તેણે તમને મીઠા ફળ આપ્યા.
પણ મને પત્થર માર્યો તો હું તમને કંઇ નથી આપી શક્યો માટે હુ દુઃખી છું.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"..."મરી"

આપણા રસોડામાં મસાલા તરીકે અને ગરમ મસાલામાં એક સ્વાદ તરીકે વપરાય છે મરી. મરી અને મસાલાના એટલા ફાયદા છે કે યુરોપમાં આજે પણ તેની માંગ વધારે રહે છે. સ્વાસ્થ્ય માટે મરી ઘણી લાભદાયક છે.

1) ચામડી પર ક્યાંય પણ ફોડલી થઈ
 હોય તો મરી પાણી સાથે ઘસી તેને ફોડલી પર લગાવવાથી ફોડકી બેસી જાય છે. 
2) મરીને સોઈથી છેદીને ધીમા તાપથી તપાવો. જ્યારે ધુમાડો થવા લાગે તો શ્વાસ લો. આ પ્રયોગથી માથાનો દુખાવો બરાબર સારો થઈ જાય છે. હેડકી પણ બંધ થઈ જાય છે.
3) મરી 20 ગ્રામ, જીરું 10 ગ્રામ અને સાકર કે મિશ્રી 15 ગ્રામ પીસીને મેળવી લો. તેને સવાર-સાંજ પાણીની સાથે ફાંકી લો. હરસમાં લાભ થશે. - મધમાં મરીનો ભૂકો મેળવી અને દિવસમાં ત્રણ-ચાર વાર ચાટવાથી ઊધરસ બંધ થઈ જાય છે.
4) અડધી ચમચી પીસેલી મરી થોડા એવા ઘીની સાથે મેળવી રોજના સવાર-સાંજ નિયમિત ખાવાથી આંખની રોશની વધી જાય છે. - મરી 20 ગ્રામ, સૂંઠ, જીરું તથા સીંધાલું નમક બધું 10-10 ગ્રામ માત્રામાં પીસીને મેળવો. ભોજન પછી અડધી ચમચી ચૂર્ણ પાણીની સાથે ફાંકવાથી એસિડિટી દૂર થઈ જાય છે.
5) ચાર-પાંચ દાણા મરીની સાથે 15 દાણા કિસમિસ ચાવવાથી ઊધરસમાં લાભ થાય છે. - જો તમારું બ્લડપ્રેશર લો રહે છે, તો દિવસમાં બે-ત્રણ વાર પાંચ દાણા મરીની સાથે 21 દાણા કિસમિસનું સેવન કરો.
6) તાવમાં તુલસી, મરીનો કાઢો લાભકારી રહે છે. - મરી, હિંગ, કપૂર, આ બધાને પાંચ-પાંચ ગ્રામ મિશ્રણ બનાવો. પછી તેની નાની નાની ગોળી બનાવો, દરેક ત્રણ કલાક પછી એક ગોળી દેવાથી ઉલ્ટી, ઝાડા બંધ થઈ જાય છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

પત્નીઃ આજે સવારે મે એક એટ્રેક્ટિવ અને ક્યૂટ ગર્લ જોઇ.
પતિઃ ઓહ વાઉ, ગ્રેટ! ત્યાર પછી શું થયું?
પત્નીઃ હું તેના તરફથી મારી દ્રષ્ટિ ફેરવી જ શકી નહીં, તે એન્જલ છે.
પતિ ગુસ્સે ભરાયોઃ મહેરબાની કરીને તું મને કહીંશ કે તે એને ક્યાં 
જોઇ?
પત્ની હસીનેઃ અરિસામાં જ્યારે હું મેક અપ કરતી હતી ત્યારે.....

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કઈંક અવનવું" "ગુજરાત નોલેજ"

૧.ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કઈ સાલમાં થઈ?
(અ) ૧૯૬૫ (બ) ૧૯૭૫ (ક) ૧૯૮૫

૨.સંપૂર્ણ ગુજરાતી છાપખાનું સર્વપ્રથમ કોણે શરૂ કર્યું?
(અ) ફરદૂનજી મર્ઝબાન (બ) દુગૉરામ મહેતા (ક) જીજીભાઈ બહેરામજી છાપગર

૩.વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું?
(અ) અમદાવાદ (બ) સુરત (ક) ભાવનગર

૪.સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ કઈ?
(અ) સીતાવિવાહ (બ) ભકત પ્રહલાદ (ક) નરસિંહ મહેતા

૫.સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું?
(અ) કંડલા (બ) નવલખી (ક) ઓખા

૬.ઉત્તર ધ્રુવ પર પગ મૂકનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ?
(અ) હંસા મહેતા (બ) પ્રીતિસેન ગુપ્તા (ક) ઈલા ભટ્ટ 

૭.મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી?
(અ) સરદાર વલ્લભભાઈ પટેલ (બ) ઈન્દુલાલ યાજ્ઞિક (ક) આનંદશંકર ધ્રુવ 

જવાબો

૧. (બ) ૧૯૭૫ ૨. (અ) ફરદૂનજી મર્ઝબાન ૩. (અ) અમદાવાદ ૪. (ક) નરસિંહ મહેતા ૫. (ક) ઓખા ૬. (બ) પ્રીતિસેન ગુપ્તા ૭ (બ) ઈન્દુલાલ યાજ્ઞિક

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી