Monday, 6 August 2012


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

ગોઠણ થી ચાલતા ચાલતા,
ક્યારે પગ પર ઉભો થયો .

તારી મમતા ના છાયા માં,
ખબર નહી ક્યારે મોટો થયો.

કાળા ટીકા,દુધ મલાઈ
આજે પણ બધુ તેવું જ છે.

હું અને હું જ છું દરેક જગ્યા પર
પ્રેમ આ તારો કેવો છે ? 

સીધો-સાદો ,ભોળો-ભાળો
હું જ સૌથી સારો છું.

કેટલો પણ થઈ જાવ હું મોટો,
" માઁ " હું આજે પણ તારો બાળક છું

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday, 4 August 2012


આજ નુ " કાવ્ય "

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "હેલ્થ ટીપ્સ"...

આર્યુવેદમાં વિશ્વાસ રાખતા હોવ તો આપને આ વાતની જાણ હશે જ કે કારેલા પચવામાં હલકાં અને અનેક બીમારીઓનો ઈલાજ છે.
એટલું જ નહીં તે ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દુર કરનારા, ડાયાબિટીસ નાશક, સોજા જેવી બીમારી
 દુર કરનારા, માસિક ધર્મની બીમારીને દુર રનારા, આંખોનું તેજ પાછુ લાવે છે, રક્ત શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે.

તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દુર કરે છે. દરરોજ કારેલાનો જ્યૂસ પીવાનો આટલો બધો ફાયદો છે.

કડવા લાગતા કારેલાના આટલાં ફાયદા છે દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યુસ આપને આજીવનની ફિટ બોડી આપી શકે છે. તે સાથે આટલા રોગો સામે લડવાની તાકાત પણ.

ડાયાબિટીસની બીમારીમાં કારેલાના ટુકડા કાપી તેને છાયડામાં જ સુકવી તેને ઝીણા પીસી દો. તેમાં દસમાં ભાગની કાળા મરી ઉમેરી લો. આ પાવડર દરરોજ સવાર સાંજ એક ચમચી પાણીમાં મેળવી પીવો આપને ઘણો લાભ થશે

મલેરિયાની બીમારીમાં કારેલાના 3-4 પત્તા 3 કાળામરીના દાણા સાથે પીસી લો અને આ રસ શરિર પર લાગાવો તેનાથી રાહત થશે.

જો નાના બાળકની ઉલટી બંધ નથી થતી તો તેને કારેલાના 2-3 દાણા અને કાળા મરીના 2 દાણા સાથે લસોટી ચટાડો તેની ઉલટી બંધ થઈ જશે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની " ગમ્મત "

એક ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગ્યા બાદ બોય્સ હોસ્ટલના છોકરા ત્યાં દોડી ગયા. 
છોકરાઓ પોતાની જિંદગી જોખમમાં મુકીને છોકરીઓને બચાવી. આ ઘટના બાદ એક હિન્દી ન્યૂઝ ચેનલમાં બ્રેકિંગ આવ્યા.
''આગ પે કાબુ પા લીયા ગયા હે લેકિન લડકો પે કાબુ 
પાને કી કોશીશ કી જા રહી હેં''

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "ટૂંકી વાર્તા"....."પ્રેમ અને પરમાત્મા"

આચાર્ય રામાનુજ એક સંત તરીકે સર્વત્ર પ્રખ્યાત. ઠેર-ઠેરથી લોકો આવે. સૌને ઉપદેશ આપે.
એક દિવસ એક જુવાન આવીને આચાર્ય રામાનુજના પગમાં પડ્યો. તેણે કહ્યું, ‘મારે આપના શિષ્ય થવું છે. મને આપનો શિષ્ય બનાવ
ો.’
રામાનુજ કહે, ‘તારે શા માટે મારા શિષ્ય થવું છે?’
યુવાન કહે, ‘મારો શિષ્ય બનવાનો હેતુ તો પરમાત્મા સાથે મારે પ્રેમ કરવો છે.’
સંત રામાનુજ કહે, ‘આનો અર્થ એ કે તારે પરમાત્મા સાથે પ્રીતિ કેળવવી છે, પણ મને એ તો કહે કે તારા ઘરના કોઈ સ્વજન પર તને પ્રેમ છે ખરો?’
યુવાન બોલ્યો, ‘ના, સહેજ પણ નહીં.’
સંત રામાનુજે પ્રશ્ન કર્યો, ‘તને તારાં માતા-પિતા કે ભાઈ-બહેન પર હેત છે?’
આવનાર યુવાને કહ્યું, ‘ના મહારાજ! મને કોઈના પર સહેજ પણ હેત નથી. આખી દુનિયા સ્વાર્થી છે, મિથ્યા છે, માયાજાળ છે. આથી તો આપનાં ચરણોમાં શરણ લેવા ઇચ્છું છું.’
સંત રામાનુજે તરત જ કહ્યું, ‘પણ ભાઈ, તારો અને મારો મેળ ખાય એમ નથી. તારે જે મેળવવું છે એ હું તને નહીં આપી શકું.’
યુવાન તો આભો જ બની ગયો. તેણે કહ્યું, ‘હું પરમાત્માની શોધમાં ઠેર-ઠેર ભટક્યો છું. કોઈની સાથે મેં પ્રીત બાંધી નથી. બધાએ એક જ વાત કરી કે ઈશ્વર જોડે પ્રીતિ બાંધવી હોય તો સંત રામાનુજને મળ અને આપ તો એ વિશે ઇનકાર કરો છો.’
રામાનુજે હસીને જવાબ આપ્યો, ‘ભાઈ, તને તારા કુટુંબ પર પ્રેમ હોત, જિંદગીમાં તેં સ્નેહસંબંધ કેળવ્યો હોત તો હું એને વિશાળ અને વિરાટ સ્વરૂપ આપી શકત. થોડા પ્રેમભાવને વિશાળ બનાવવાની અને એને પરમાત્માનાં ચરણો સુધી પહોંચાડવાની શક્તિ મારામાં છે. નાનાસરખા બીમાંથી વિશાળ ઘેઘૂર વડલો બની શકે, પણ મૂળમાં બી તો હોવું જ જોઈએ. જે પથ્થરની જેમ શુષ્ક અને નીરસ હોય એમાંથી પ્રેમનું ઝરણું કેવી રીતે વહાવી શકાય! જો બી ન હોય તો મોટું વૃક્ષ ઊગે કેવી રીતે? તારા હૃદયમાં કોઈ માટે પ્રેમ હોય તો જ એમાંથી હું પરમાત્માના પ્રેમની ગંગા વહાવી શકું. જેને લાગણીની સમજ જ નથી એ હૃદયમાં લાગણી, ભક્તિ, ઈશ્વરપ્રીતિ ક્યાંથી ફૂટે? જેના હૃદયમાં પોતાની નજીકની વ્યક્તિઓ પ્રત્યે સ્નેહ નથી એ ઈશ્વરને સ્નેહ જ કઈ રીતે કરી શકે?’
રામાનુજે પ્રેમથી ઊંડાણપૂર્વક સમજાવ્યું, ‘પ્રભુપ્રેમ પામવા માટે નીકળનારે હૃદયમાં પ્રેમ ધારણ કરવો જોઈએ. જો તેમનું હૃદય લાગણીભીનું હોય તો જ એ પ્રભુપ્રેમ, ઈશ્વર સ્નેહભીનું બની શકે.’
પછી યુવાનને કહ્યું, ‘જા, તારા હૈયામાં જગત પ્રત્યે પ્રેમભાવના જગાડ પછી એ સ્નેહ-સિંહાસન પર પરમાત્મા આવીને બિરાજશે.’

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કઈંક અવનવું" .....દવા ની મૂળ કિંમત

મિત્રો આપણ ને ડોક્ટર દ્વારા દેવા માં આવતી ઘણી દવા તેના મુળ તત્વ કરતા તે કપંની ના મોટા નામ તથા તેની પ્રખ્યાતી ના લીઘે આપવા માં આવે છે જેને કારણે આપણે તે દવા ની કિમંત તેના મૂળ કિંમત કરતા ક્યાય વધુ આપીએ છીએ.
મિત્રો તેમા થી બચવા આટલા ઉપાઇ કરો.
1 http://www.medguideindia.com/ આ વેબસાઇટ પર ક્લિક કરો.
2 "DRUG" પર ક્લિક કરો.
3 "BRAND" પર ક્લિક કરો.
4 હવે તમે જે કપંની ની દવા વાપરો તે સર્ચ કરો(eg.METOCARD XL (50 mg)) તમે તેમા આપેલા લિસ્ટપર થી પણ સર્ચ કરી શકો છો.
5 "GENERICS" પર ક્લિક કરો.
6 "MATCHED BRAND" પર ક્લિક કરો.
7 મિત્રો તમને જોઈને આશ્ચર્ય થશે કે તે જ દવા બીજી કપંની દ્વારા એકદમ સસ્તા ભાવ માં મળશે
અને બને દવા અસર માં પણ સરખી જ હશે.
(eg METOCARD XL(50 mg) rs.62 અને તેવી જ દવા MEPOL(CIPLA)દ્વારા ખાલી 7rs. માં મળે છે.
તો મિત્રો જો તમને આ વાત માં સત્ય લાગે તો તમારા મિત્રો ને SHARE જરૂર કરજો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ નુ "જ્ઞાન" 12 જ્યોતિર્લિંગનાં સ્મરણનું મહત્વ

જ્યોતિર્લિંગ, મહાદેવના નિરાકાર (જેનો કોઈ આકાર નથી), અનાદિ, અનંત, સ્વયંભૂ અને ચમત્કારી સ્વરૂપ માનવામાં આવે છે. જ્યોતિર્લિંગના દર્શન જ નહીં, નામ સ્મરણ પણ જીવનની દરેક મુશ્કેલીઓ કે સંકટોથી મુક્
ત કરનારું છે.

શાસ્ત્રોમાં પાપ, પીડા અને સંકટનાશક 12 જ્યોતિર્લિંગનાં સ્મરણનું મહત્વ જણાવ્યું છે.

1 સોમનાથ – 
પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે જે પ્રખ્યાત છે. દક્ષપ્રજાપતિએ પોતાની કન્યાઓ ચંદ્રને પરણાવેલી. ચંદ્ર માત્ર રોહિણીને વધારે પ્રેમ કરતો હતો, આથી બીજી કન્યાઓએ દક્ષને ફરિયાદ કરી. દક્ષે ચંદ્રને ક્ષયનો રોગ થવાનો શ્રાપ આપ્યો. દુઃખી થતા ચંદ્રએ પ્રભાસ ક્ષેત્રમાં શિવજીનું તપ કર્યું. શિવને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ અપાવી. ક્ષય થાય પણ ફરી પાછો પોતાની સ્થિતિ પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું. તેની વિનંતિથી ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા, તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનો આ રીતે પાદુર્ભાવ થયો. શિવપૂરાણમાં કહેવાય છે કે આ શિવલિંગનું દર્શન અને સ્મરણ માત્ર પણ રોગીઓના રોગને દૂર કરનાર છે.

2 મલ્લિકાર્જુન – 
કાર્તિકેય અને ગણેશજી બન્નેને પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવવાનું હતું, પરંતુ ગણેશજીએ માતા-પિતાને સર્વસ્વ માની તેની પ્રદક્ષિણા કરી. ગણેશજીને બન્ને કન્યા સાથે પરણાવી દેવાયા. આ વાતથી રોષે ભરાય કાર્તિકેય બાર યોજન દૂર ચાલ્યા ગયા. તેને મળવા માટે શિવજી અને પાર્વતિ ત્યાં જ્યોતિસ્વરૂપે સ્થિત થયા. આ જ્યોતિર્લિંગથી બધા પાપનો નાશ થાય છે અને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થાય છે.

3 મહાકાલેશ્વર – 
ઉજ્જૈન નગરીમાં વેદપ્રિય બ્રાહ્મણના ચાર પુત્રો હતા. આ નગરીમાં દુષણ નામના અસુરે ચઢાઈ કરી અને બ્રાહ્મણોને મારવા લાગ્યો. ધર્મનો વિઘ્વંશ કરવા લાગ્યો. બધા ભાગતા હતા પણ આ ચાર બ્રાહ્મણ પુત્રો શિવજીનું પાર્થિવલિંગ હતું ત્યા બેસી રહ્યા. તે અસુર ત્યાં સુધી પહોંચ્યો અને એ લિંગને પગ માર્યો ત્યારે શિવજી ત્યાં પ્રગટ થયા. ભયાનક સ્વરૂપથી શિવજીએ તે અસુરોનો નાશ કર્યો અને બ્રાહ્મણ પુત્રોને વરદાન માંગવા કહ્યું, ત્યારે બ્રાહ્મણ પુત્રોએ શિવજીને ત્યાં મહાકાળ રૂપે વાસ કરવા કહ્યું. મહાકાળેશ્વરના સ્મરણથી અને દર્શનથી સ્વપ્નમાં પણ દુઃખ જોવા મળતું નથી. જીવનનો ખરાબ સમય પણ સુખમાં પરિણમી જાય છે.

4 ઓમકારેશ્વર – 
નારદજી એકવાર ગોકર્ણ મુની પાસે જાય છે. પછી બન્ને ભગવત ચર્ચા કરવા વિંધ્ય પર્વત પર જાય છે. વિંધ્ય પર્વતે નારદ સામે અભિમાન કર્યું કે મારી પાસે બધું છે, ત્યારે નારદજીએ મેરૂ પર્વતને તેનાથી પણ શ્રેષ્ઠ ગણાવ્યો. વિંધ્યએ શ્રેષ્ઠ થવા માટે શિવજીનું તપ કર્યું. શિવજીએ તેને ‘‘ચાહો તેવું કરો’’ તેવું તેણે શિવજી પાસેથી વરદાન મેળવ્યું અને શિવજીને તેના ક્ષેત્રમાં સ્થાપિત થવાની પ્રાર્થના કરી. ઓમકારેશ્વરના દર્શન-સ્મરણથી માનસિક પરિતાપની શાંતિ થાય છે. કીર્તિ પ્રાપ્ત થાય છે.

5 કેદારેશ્વર – 
વિષ્ણુના અવતાર એવા નર-નારાયણે બદરિકાશ્રમ ક્ષેત્રમાં જઈ અને શિવજીનું તપ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈ અને શિવજી પ્રગટ થયા. નર-નારાયણે ત્યાં તેને સ્થિત થવા વિનવ્યા અને શિવજી ત્યાં કેદારેશ્વર તરીકે સ્થાયી થયા. કેદારેશ્વરના દર્શન-સ્મરણથી સંપૂર્ણ દુઃખનો નાશ થાય છે. ત્યાંનું જો પાણી પીવામાં આવે તો તેનો બીજો જન્મ થતો નથી.

6 ભીમશંકર – 
કામરૂપ દેશમાં ભીમનામનો અતિ શક્તિશાળી અને કુંભકર્ણનો પુત્ર ઘર્મનો નાશ કરતો હતો. ધર્મનો નાશ કરી પોતે ઈશ્વર બનવાની અભિલાષા સેવતો હતો. દેવો, ઋષીઓ, બ્રહ્મા, વિષ્ણુ સહિત બધાએ શિવજીને વિનંતિ કરી. શિવજીએ તેના પર વાર કરવાનું શરૂ કર્યું પણ તે હણાયો નહીં. જ્યારે તેણે પાર્થિવલિંગનો નાશ કર્યો, ત્યારે શિવજીના એક હુંકારથી ત્યાં રહેલા બધા રાક્ષસોનો નાશ કર્યો. દેવતા અને ઋષીઓની પ્રાર્થનાથી ત્યાં જ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા અને ભીમશંકર તરીકે ઓળખાયા. ભીમેશ્વર મહાદેવ આપત્તિ નિવારક અને સર્વસિદ્ધિને આપનારા કહેવાયા છે.

7 વિશ્વેશ્વર – 
વારણસી ક્ષેત્રમાં વિષ્ણુથી ઉત્પન્નિત પ્રકૃતિ અને પુરુષ માટે પંચક્રોશિ નગરીનું નિર્માણ શિવજીએ કર્યું. તે નગરી કર્મોનું કર્ષણ કરનારી, કાશિ તરીકે પૃથ્વી પર સ્થિત કરવામાં આવી. પ્રલય કાળે પણ આ નગરીનો નાશ થતો નથી, શિવજી તેના ત્રિશુળ પર આ નગરીને ધારણ કરે છે. આ નગરમીમાં શિવ અને શક્તિ સજોડે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કરે છે. તે વિશ્વેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. વિશ્વેશ્વર મનુષ્યના મહારોગોનું નિવારણ કરનાર અને મોક્ષ આપનાર છે.

8 ત્ર્યંબકેશ્વર – 
ગૌતમ ઋષીને આશ્રમમાંથી નીકાળવા માટે ગૌ હત્યાનું ખોટું આળ ઋષીઓએ અને દેવતાઓએ લગાડ્યું. તેના ખોટા આરોપને પણ સાબિત કરવા માટે ગૌતમ ઋષીએ અહલ્યા સાથે શિવજીનું તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા. ગૌતમ ઋષીએ બ્રહ્માએ આપેલા પાણીથી શિવજીનું પદપ્રક્ષાલન કર્યું, તો તે પાણી ગંગા રૂપે ત્યાંથી પસાર થયું જે ગૌતમી ગંગા કહેવાઈ. તેના અવતરણથી પ્રભાવિત દેવોએ પણ શિવજીને ત્યાં સ્થિત થવાની પ્રાર્થના કરી. બૃહસ્પતિ ગ્રહ સિંહ રાશિમાં આવે ત્યારે સમગ્ર દેવો અને ઋષીઓ સહિત સજોડે શિવ ત્યાં પધારશે, તેવું વરદાન પણ આ ક્ષેત્રને મળેલું છે. ત્ર્યંબકેશ્વરના દર્શનથી પાપની મુક્તિ અને લોકોમાં કીર્તિ મળે છે.

9 વૈધ્યનાથેશ્વર – 
રાવણે કઠોર તપશ્ચર્યા કરી અને છત્તા પણ શિવજી પ્રસન્ન ન થયા, ત્યારે રાવણ પોતાના મસ્તક ઉતારી અને કમળપૂજા કરવા લાગ્યો. એક પછી એક એવા નવ મસ્તક તેણે ઉતારી શિવજીને સમર્પિત કર્યા. દશમું મસ્તક ઉતાર્યું ત્યારે શિવજી પ્રસન્ન થયા અને તેના બધા માથા પૂર્વવત કરી, નિરોગી કર્યો. ભગવાને તેને ઈચ્છિત બધું વરદાન આપ્યું. તેને શિવને લંકામાં લઈ જવાની ઈચ્છા દર્શાવી. શિવજીએ કહ્યું કે તમે મારા લિંગને લઈ જઈ શકો છો પણ જ્યાં તેને મુકશો તે પછી તે ત્યાંજ સ્થાપિત થઈ જશે. થયું એવું જ કે તે લઘુશંકાના આવેગને રોકી ન શક્યો. ભરવાડને લિંગ આપી તે ગયો પણ ભરવાડ પણ તે લિંગનો ભાર સહન ન કરી શક્યો. અંતે ત્યાં જ મુકાઈ ગયું અને ત્યાં તેની સ્થાપના થઈ. તેના દર્શન-સ્મરણથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

10 નાગેશ્વર – 
દારુકા નામની રાક્ષસી પાર્વતીજીના વરદાનથી ઘમંડથી ફરતી હતી. તે અને તેનો પતિ બધાને પીડવા લાગ્યા. પાર્વતિજીએ વનનું રક્ષણ આ રાક્ષસીને સોપ્યું હતું.રાક્ષસીને વરદાન હતું કે જ્યાં તે જાય ત્યાં આખું વન તેની સાથે આવશે. તેના ત્રાસથી દેવોએ ઔર્વની દેવીને પ્રાર્થના કરી. તેના શ્રાપથી ભયભિત દારુકા સમુદ્રમાં સમાઈ ગઈ. ત્યાં બધાને હેરાન કરવા લાગી. એકવાર ત્યાંથી માણસોથી ભરેલી નાવ નીકળી, તેને દારુકે પકડી લીધી. તેમાં એક વણિક હતો જે શિવજીનો રૂદ્રાક્ષ ધારણ કરતો હતો. તેણે ભગવાનને ત્યાંથી છોડાવવા વિનંતિ કરી. તે રૂદ્રાક્ષમાંથી વિશાળ મંદિર સાથે સમગ્ર શિવ પરિવાર હાજર થયો. શિવજી જ્યારે પાશુપાસ્ત્રથી રાક્ષસોને હણવા લાગ્યા ત્યારે દારૂકાએ પાર્વતિજીને તેની રક્ષા કરવા મનાવ્યા. પાર્વતિજીના કહેવાથી શિવજીએ રાક્ષસોને હણવા રહેવા દીધા. રાક્ષસીને શિવજીએ સારું કુળ ઉત્પન્ન કરના બને તેવું વરદાન આપી નાગેશ્વર રૂપે ત્યાં સ્થિત થયા. ભયમાંથી બચવે છે. મનોરોગો, શારીરિક દોષો પણ આ લિંગના સ્મરણ- દર્શનથી દૂર થાય છે.

11 રામેશ્વર – 
ભગવાન રામે દક્ષિણ કિનારે સેતુબંધ બાંધતા પહેલા શિવજીનું પૂજન કર્યું. શિવજી ત્યાં પ્રગટ થયા. રામજીની વિનંતિથી તેમણે પોતાના જ્યોતિર્લિંગને ત્યાં સ્થાપિત કર્યું. રામેશ્વરના સ્મરણથી કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. કાર્યમાં સફળ થવા માટે તેની પૂજા વધુ યોગ્ય છે.

12 ઘુશ્મેશ્વર – 
દક્ષિણ દિશાનો શ્રેષ્ઠ પર્વત દેવગીરી છે. ત્યાં સુધર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સુદેહા નામની પત્ની હતી, પરતુ પુત્ર સુખ ન હતું. ઘણા ઉપાયો, તપ પછી પણ તેને પુત્ર પ્રાપ્તિ ન થઈ. તેની પત્ની સુદેહાએ તેની બહેન ઘુશ્માને સુધર્મા સાથે પરણાવી. ઘુશ્મા દરરોજ સો પાર્થિવ શિવલિંગ બનાવતી, પૂજા કરતી અને પછી તેને તળાવમાં પધરાવી દેતી. ઘુશ્માને પુત્ર રત્ન પ્રાપ્ત થાય છે. સુદેહાને તેની ઈર્ષા થઈ. ઘુશ્માના પુત્રને છરાથી કટકા કરી તળાવમાં નાખી આવી. સવારે તે ખોટો વિલાપ કરી પતિને કહેવા લાગી પણ ઘુશ્મા સ્વસ્થ હતી. ઘુશ્માએ કહ્યું કે જેને પુત્ર આપ્યો છે તે જ તેની રક્ષા કરશે. તેણે દરરોજ પ્રમાણે શિવલિંગ બનાવ્યા, પૂજા કરી અને તળાવમાં પધરાવવા ગઈ તો તેનો પુત્ર તળાવકિનારે રમતો હતો. ઘુશ્મા સ્થિત ભાવે તે પુત્ર પાસે ગઈ તેને શિવજી પર વિશ્વાસ હતો. આ જોઈ શિવજી પણ પ્રસન્ન થયા અને ત્યાં પ્રગટ થયા. જ્યોતિર્લિંગની પૂજા થાય તે માટે ત્યાં નિવાસ કરવા વિનંતિ કરી અને ઘુશ્મેશ્વરની પૂજા શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. આ લિંગની પૂજા તથા તેનું સ્મરણ મનોવાંછિત ફળ આપનાર છે.

◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠

રાકેશ મિસ્ત્રી