Sunday, 10 June 2012
આજ નુ "કઈંક અવનવું"
ધર્મશાસ્ત્રોની વાતો પર વિચાર કરો તો કર્મોના બે પરિણામ બતાવવામાં આવ્યા છે – પાપ અને પુણ્ય. જ્યાં પાપ સુખથી વંચિત કરી દુઃખનું કારણ બને છે, ત્યાં પુણ્ય પાપ ઓછું કરી અને મુક્ત કરનાર માનવામાં આવે છે.
મોટાભાગે જોવામાં આવે છે કે માણસ પાપ કર્મોથી તો ઝડપતી જોડાય છે, ત્યાં સદ્કર્મો અને પુણ્ય કર્મોને લઈને વધારે વિચાર કરે અને સમય લે છે. શાસ્ત્રોમાં આવી પ્રવૃતિની પાછળ 5 ખાસ વાતો જણાવવામાં આવી છે.
જેના કરણે સાંસારિક જીવનમાં દરેક જાણે-અજાણે પાપ કરી બેસે છે. આ માટે પાપથી બચવા માટે આ વાતોને સામે રાખીને કર્મ, વચાર અને વ્યવહાર પર હંમેશા ધ્યાન આપવું જરૂરી જણાય છે. જાણો આ 5 વાતો –
લખવામાં આવ્યું છે કે –
अविद्यास्मितारागद्वेषाभिनिवेशा: क्लेशा:।।
સંદેશ છે કે આ પાંચ કલહના વશમાં થવાથી પાપ થાય છે. આ પાંચ ક્લેશ છે –
"અવિદ્યા" – અજ્ઞાનનું રૂપ છે. સરળ શબ્દોમાં સમજો તો દરેક સ્થિતિ અને વિષયને લઈને સાચી સમજણનો અભાવ. જેનાથી ખોટા કર્મો કે વિચારમાં પણ સુખ વધારે સારું લાગે છે, જેનું પરિણામ પાપના રૂપમાં સામે આવે છે.
"અસ્મિતા" – અહંમ ભાવ. જેથી મન, મસ્તિષ્ક તથા વિચારોને જકડીનાર માનવામાં આવે છે. રાવણ, હિરણ્યકશિપુ કે કંસ પણ આ દોષના કરણ પાપ કર્મમાં લુપ્ત થઈ જાય છે અને દુર્ગતિ મળે છે.
"રાગ" – આસક્તિનું જ એક નામ, જે સારા-ખરાબની સમજથી દૂર ઈન્દ્રિય અસંયમનું કરણ બની પાપ કરાવે છે.
"દ્વેષ" – મનગમતું ન હોય પણ દુઃખી કે ક્રોધિત થવાનો ભાવ, જેથી કર્મ, વિચાર અને વ્યવહારમાં દોષ પૈદા થાય છે.
"અભિનિવેશ" – મૃત્યુનો ભય. દરેક માણસ આ જાણે છે કે મૃત્યુ અટલ સત્ય છે, તેનાથી બચવાનું કોઈ રીતે શક્ય નથી છતા તે તન, મન, ધનનો દુરુપયોગ કરી પાપ કર્મ કરે છે.
(મિત્રો તમે આ વિભાગ માં કાઇ નવીન જેમકે ધર્મ,રેસીપી,સમજવા જેવું તેમ જ વિચારવાં તે બધુ આપ સહુ ના સમક્ષ લઇ ને આવીશ તે પણ વિવિધ માધ્યમ દ્વારા જેમકે વિવિધ સમાચાર પત્ર અને પુસ્તક તમને કેવુ લાગે છે તે જરૂર કમેન્ટ કરજો)
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
ADMIN ...."સંદેશ"
જ્ઞાન સાથે ગમ્મત માં હુ નિયમિત પોસ્ટ નથી કરી શકતો
તે બદલ ક્ષમાં માંગુ છું
હુ મારા અતિ વ્યસ્ત કાર્યક્રમ માંથી થોડો પણ સમય કાઢી આપ
સહુ સમક્ષ કંઇક નવું સદા લાવતો રહીશ અને પ્રયત્ન કરતો રહીશ કેમ કે
જ્ઞાન સાથે ગમ્મત ખાલી મનોરંજક પેજ નથી પરંતુ
તેની દરેક પોસ્ટ તમારા જીવન પર સારી અસર કરે અને તમને
સારુ વિચારવા મજબુર કરે અને તેની માટે હુ કાયમ પ્રયત્ન કરીશ.
તમને જ્ઞાન સાથે ગમ્મત પેજ કેવુ લાગે છે તે જરૂર કમેન્ટ કરજો.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
ADMIN ...."સંદેશ"
મિત્રો વરસાદ ની મૌસમ આવી ગઇ છે ચાલો ભીજાંવા
આ સરસ વરસાદ માં બધા દુઃખ ભુલી બાળક સાથે આપણે પણ આ મોસમ ને માણીએ અને બાળક સાથે બાળક બનીએ.
આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાણા હોય. વરસાદ ઝરમરતો હોય,
માટીની ભીની સુગંધ અંતરને ભીંજવે, ને મનમાં કોઇના વિચારો સળવળવા લાગે.તો ક્યારેક ધોધમાર વરસાદ હોય, તો પણ હ્રદયમાં કોઇની યાદ સળગે છે તો આ પ્રેમ ની મોસમ ની યાદ માં આસુંદર પંક્તિ અને કાવ્ય આપ સહુ માટે
"આ વરસાદી વાદળ અને ક્યાક છે તુ સાજન,
ક્યાક વરસે વાદળ અને ક્યાક વરસે તુ સાજન"...
કાવ્ય
એ નહીં આવે કદી વરસાદમાં,
આગ લાગી ગઈ સખી વરસાદમાં…
કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં…
એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં…
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં…
છે તગ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’,
શાયરી દુલ્હન બની વરસાદમાં…
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ ની "હેલ્થ ટીપ્સ"...
દરરોજના ખાવામાં જો આપ આનાકાની કરતા હોવ તો આપને ડૉક્ટરની દવાઓ ખાવી પડશે. આપ જો જાણશો કે કુદરતના આ ખજાનામાંથી જ આપની કેટલી બીમારીઓ દુર થાય છે તો આપને કેટલો ફાયદો થાય છે. જાઓ આ રહ્યાં આપના રસોડામાં છુપાયેલા ખજાનાના રહસ્યો...
-જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો આપનું બ્લ્ડ પ્રેશર કાબુમાં રહેશે.
- ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રૂપમાં પણ લઇ શકાય.
- હૃદયની બીમારીવાળી વ્યક્તિએ ટામેટાં ખાવાં. તેમાં વિટામિન ‘સી’ અને ‘એ’ તથા પોટેશિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.
-મેથીના દાણાનું ચુરણ બનાવી દરરોજ ખાલી પેટ એક ચમચી લેવાથી બ્લ્ડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તેને પર કાબુ રહે છે.
-દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટિઝનું જોખમ ઓછું થઈ જાય છે.
-તરબૂચના બીયા અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટ લેવાથી બ્લ્ડ પ્રેશર કાબુમા રહેશે.
-કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દૂધીનો રસ કાઠી, ફુદીનાનાં ચાર પાન, તુલસીનાં બે પાન નાખી દિવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
તારો પ્રેમ તો મને હમેંશા મળવાનો જ છે,
છતા આજે હું એક પ્રેમ-પત્ર લખું છું....
પ્રેમી તો તારો હું કાયમનો છું,
આજે આશીક બનવા ઇચ્છું છું....
રોજ જ તારી સાથે પ્રેમ કરું છું,
પણ આજે અલગ પ્રેમ વ્યક્ત કરવા માગું છું....
રાતનાં તો બહું નીંદર આવી જાય છે,
એટલે દિવસમાં સપનાં જોઉં છું....
સપના તો ખેર તારા જ હોય ને,ભૂલથી કોઈ બીજી આવી જાય તો....
તને એની સાથે લડતાં જોઉં છું,
તું મારા માટે સૌંદર્યની મૂરત છે....
તને જોવાની હું રોજ મજા લૂટું છું,
શરીરથી તો અત્યારે તારાથી દૂર છું....
પણ મનથી તારી આસ-પાસ જ ફરું છું,
તને ખૂશ કરવાનાં અવસર હું વારંવાર ચૂકું છું....
પણ આજે આ બધું લખી સાટું વળવા માગું છું,
તુ કમળ બની ને ખિલજે આજે....
હું ભમર બની ને આવું છું,
શબ્દોની આવી જાળ બિછાવી....
તને જ તો ફાંસવા મથું છું,
ખુશ થઈને આ કાગળ ને ના ચુમતી....
થોડીક ક્ષણ રાહ જો,હું હમણા જ આવું છું....
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Subscribe to:
Posts (Atom)






