Wednesday, 1 February 2012
ADMIN ...."સંદેશ"
મિત્રો મને ક્રુપ્યા જણાવજો કે તમને જ્ઞાન સાથે ગમ્મત કેવું લાગે છે.
મિત્રો મારો પ્રયત્ન સદા રહેશે કે હું દરરોજ કાંઇ નવું લાવું .
આજ ની ભાગતી દોડતી દુનિયા માં તમને કાંઇ સારું સમજવા મળે જાણવા મળે.
જે તમને તમારા જીવન માં મદદરૂપ થાય.
મારો પ્રયત્ન સદા તમને તમારા પરિવાર , પ્રેમ અને પ્રભુ ની નજદીક લાવવાનો રહેશે
અને સાથે થોડાંક હાસ્ય , જ્ઞાન અને અમૃત વાણી સાથે .
હું આશા રાખું છું કે આમા આપેલી તમામ પોસ્ટ તમારી જિંદગી ને જરૂર સ્પર્શ કરશે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ નુ "જ્ઞાન"..." વિક્રમ સારાભાઇ "
વિક્રમ સારાભાઇનો જન્મ અમદાવાદ, ભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું.
૧૯૪૧ થી ૧૯૪૬ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા. ડૉ. હોમિભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઇએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઇ સાથે કામ કરવું એક સદ્ નસીબની વાત હતી.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.
ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઇને સહકાર આપ્યો.
તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.ડૉ. સારાભાઇના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.
તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. ૫૨ વર્ષની ઉંમરે ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ તેમનું નિદ્રામાંજ મૃત્યુ થયું.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
ક્યાં સુધી એને છુપાવી રાખીએ ?
જે હૃદયમાં, આજ બોલી નાખીએ.
હાથમાં લઈ હાથ, આંખોમાં વફા
દ્વાર દિલનાં આજ, ખોલી નાખીએ.
પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા
શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ
લોક એને કહે છે પાગલપણું,
એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ.
રોજ મળીએ આપણે જૂદાં થઈ,
તાર મનનાં એમ જોડી નાખીએ.
પ્રેમમાં મળે ગહેરાઈ તો
લો, કિનારા નેય તોડી નાખીએ.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
આજ નુ " કાવ્ય "
અહીંયાં કોઈ આપણું નથી,
ઝાડ ને લાકડાં હોય ભલેને આપણું કોઈ તાપણું નથી.
હૂંફ વિના અહીં
જીવવાનું છે હૂંફની સાથે,
નીતિ-નિયમ નેવે મૂકી
જીવવાનું છે પાપના સાથે
બહુરૂપી આ ભવાઈ એમાં દશ્ય કોઈ સોહામણું નથી,
અહીંયા કોઈ આપણું નથી.
પૂરમાં અહીં તણાઈ મરો
એ સિવાય કોઈ આરો નથી,
કોઈનો અહીં સથવારો નથી
કોઈ તારો નથી કે મારો નથી.
અહીંની બધી બંધ બારીઓ ને નીકળવાને બારણું નથી.
અહીંયાં કોઈ આપણું નથી.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
Subscribe to:
Posts (Atom)






